માનસિક દિવ્યાંગોને મીઠાઇ પેકેટ તથા ટીશર્ટ અર્પણ કરાયા

શ્રી આદિનાથ જૈન મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને દરેકને દિપાવલી પર્વ નિમિત્તે મીઠાઈ પેકેટ તથા ટીશર્ટ અર્પણ કરાયા હતા. માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો