લાભ પાંચમના ૧૫ વિધવા મહિલાઓને સિવણ મશીન તથા રાશન કીટ અર્પણ કરી પગભર કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા દ્વારા ૧૫ વિધવા બહેનોને સિવણ મશીન તથા રાશનકીટ અને મીઠાઈ પેકેટ વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી અર્પણ કરી વિધવા મહિલાઓને પગભર કરાયા હતા. 

ગોવિંદભાઈ રામજી ભુડિયા-નારાણપર દ્વારા પાંચ, અમૃતબેન ગોવિંદભાઈ ભુડિયા-નારાણપર દ્વારા પાંચ, ગીતાબેન દલાલ-લંડન દ્વારા પાંચ મળી ટોટલ-પંદર સિલાઈ મશીનો, દરેકને રૂ. ૨૫૦૦ની રાશનકીટ મીઠાઈ પેકેટ તથા મશીન લઈ જવા છકડા ભાડું અપાયા હતા. 

માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી પરિવારનાં નનીતાબેન ગોવિંદ કેરાઈનું બહુમાન કરવામાં આવેલ. તેમજ દાતાશ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. પ્રારંભે સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઈ માહેશ્વરીએ સ્વાગત પ્રવચન કરેલ. પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવેલ. 

રમેશભાઈ માહેશ્વરી, મુરજીભાઇ ઠક્કર, જેરામસુતાર, નિતીન ઠક્કર, પ્રવિણ ભદ્રા, ડો. પ્રતિક્ષાબેન પવાર, ઈલાબેન વૈશ્નવની ઉપસ્થિતિમાં લાભ પાંચમના દિવસે ૧૫ વિધવા મહિલાઓને સિવણ મશીન-રાશનકીટ અર્પણ થતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. વિધવા મહિલાઓએ પગભર કરવાના સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે તથા આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ. 

વ્યવસ્થામાં આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, ઈરફાન લાખા, રાજુ જોગી, સલીમલોટા, આરતીબેન જોષીએ સહકાર આપ્યો હતો.