અચલગચ્છનાં પ.પૂ. આ. ભ. શ્રી કવીન્દ્રસાગર સૂરીશ્વરજી મ. સા. તથા મુનિરાજ શ્રી કલ્પતરૂસાગરજી મ. સા. નો શંખેશ્વર તીર્થે વાજતે-ગાજતે ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આ પ્રસંગે પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. મુનિ શ્રી વિદ્યાચંદ્રવિજયજી મ. સા. ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આરાધનામય ચાતુમાસનાં મુખ્યપુષ્પવંતા સંઘપતિનો લાભ માતુશ્રી મંદાબેન અરવિંદભાઇ રાયચંદ વોરા પરિવાર જામનગર હસ્તે સંઘપતિ શ્રી અરવિદભાઇ વોરા, શ્રી ચિંતલભાઈ વોરા વર્ધમાનનગર-કચ્છ, શ્રી રાકેશભાઇ, શ્રી જપીનભાઇ જામનગર તથા શ્રુતિલ, મંથન કિશોરભાઇ શાહ વર્ધમાનનગર-કચ્છ પરિવારે લીધો છે.
પૂજ્યશ્રીની સ્વાગત યાત્રા વાજતે-ગાજતે ખરતરગચ્છ દાદાવાડી શંખેશ્વર તીર્થેથી શરૂ થઇ હતી. જેમાં કચ્છ-મુંબઇ-દેશાવરનાં શ્રી સંઘોનાં પદાધિકારીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. ધજા-પતાકા-બેનરો, ગ્રીન જાકીટમાં સજ્જ સંઘપતિ પરિવારો, કેશરી જાકીટમાં સજ્જ કાર્યકરો, બાંધણીમાં સજજ શ્રાવિકાઓ, સફેદ વસ્ત્રોમાં સજજ શ્રાવકો તથા સાફાધારી આગેવાનો સામૈયાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. ચાતુર્માસ સ્થળ હાલારી ધર્મશાળા મધ્યે પહોંચી પૂજ્યશ્રીએ માંગલિક શ્રવણ કરાવતાં ચાતુર્માસનો મહિમા સમજાવ્યો હતો.
ગુરૂપૂજનનાં ચડાવાનો લાભ માતુશ્રી નવલબેન ભાણજી પાસડ પરિવાર શેરડી હસ્તે મહેન્દ્રભાઇ તથા પ્રફુલ્લભાઇ તેમજ કામળી વહોરાવવાનાં ચડાવાનો લાભ સંઘમાતા પ્રવિણાબેન અમૃતલાલ ગડ્ડા માપર પરિવારે જયારે શાંતસુધારસ ગ્રંથ વહોરાવવાનાં ચડાવાનો લાભ માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા જામનગર હાલે વર્ષમાનનગર-કચ્છ પરિવારે લીધો હતો.
ચાતુર્માસનાં મુખ્ય દાતાશ્રી પરિવાર તથા સર્વે સંઘપતિશ્રી પરિવારોની અનુમોદના કરવામાં આવેલ. ભારતભરમાંધી ૩૦૦ આરાષકો આ ચાતુર્માસની ભક્તિમય તપઆરાધનાઓમાં જોડાયા છે. હાલારી ધર્મશાળા શંખેશ્વર મધ્યે દરેક વ્યવસ્યાઓ આયોજક અને નિમંત્રક તથા જય જિનેન્દ્ર ગૌતમનિધિ ટ્રસ્ટ અને સર્વે સંઘપતિશ્રી પરિવારો, દાતાશ્રીઓ, કાર્યકરો દ્વારા કરવામાં આવેલ છે.
કીર્તી હરિયા, હીરેન પોલડીયા, ધીરજલાલ છેડા, નરેશ કેનીયા, જીવરાજ વોરા, શાંતીલાલ પાસડ, હર્ષદ છેડા, રાજેશ છેડા તથા સર્વે કાર્યકરો વ્યવસ્થા સંભાળી હતી.