કોરોના સંકટનાં કારણે તથા વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ જુદા-જુદા પરિવારોએ સ્વર્ગસ્થોનાં આત્માનાં મોક્ષાર્થે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી અગ્યારમું,બારમું અને તેરમાની વિધિ કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. સગા-સ્નેહી-પરિવારજનોને જમાડવા અને બધાને એકઠા કરવાને બદલે હાલની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા-જુદા છ પરિવારોનાં બે-બે જણ આશ્રમે પહોંચી જઇ માનસિક દિવ્યાંગોને જમાડી સ્વર્ગસ્થ આત્માઓનાં મોક્ષાર્થે અનોખી પહેલ કરી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, શંભુલાલ જોષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રાએ આ પહેલને આવકારી હતી.