ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમજીવીક પરિવારોને પીવા છાસ મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સતત બીજા મહિને છાસ વિતરણ કાર્ય ચાલુ રખાયું છે. દરરોજ ૩૦૦ લીટર છાસ વિતરણ કરવામાં આવે છે.
ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મજુરો-શ્રમજીવીકોને નમક, જીરાવાળી ઠંડી છાસ પીવડાવવામાં આવે છે. નિઃશુલ્ક છાસ વિતરણ ૩ મહિના ચાલુ રહેશે. સંસ્થાનું હરતું ફરતું વાહન શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરી વળે છે.
બીજા મહિને પ્રથમ પાંચ દિવસનો લાભદાતાશ્રી રંજનબેન વર્ધીલાલ પારેખ પરિવાર-વર્ધમાનનગર, બીજા પાંચ દિવસનો લાભ દાતાશ્રી મંજુલાબેન ધનસુખ દોશી, ત્રીજા,પાંચ-પાંચ દિવસનો લાભ સદગૃહસ્થ દાતાશ્રી, ત્રણ દિવસનો લાભ લક્ષ્મીબેન પ્રેમજી વરસાણી, છ દિવસનો લાભ કાન્તાબેન ધનજી હીરાણી હ. ભક્તિ મહિલા મંડળ મીરઝાપર, બે દિવસનો લાભ નારાણભાઈ શામજી ભુડિયા-માધાપર પરિવારોએ લીધો છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતા-ફરતા વાહન દ્વારા જરૂરતમંદોનાં ઝુંપડે છાસ વિતરણ કરવામાં આવી રહેલ છે. ત્રણ મહિના સુધી ચાલનાર આ હરતા-ફરતા છાસ કેન્દ્રનો લાભ લેવા દાતાશ્રી પરિવારો આગળ આવી રહ્યા છે. અનેક ગરીબ અને શ્રમજીવીકોની આંતરડી જઠારાગ્નિ ઠરી રહ્યો છે.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, રાજુ જોગી, ઈરફાન લાખા, રાજેશ જોગી, સલીમ લોટા, વિક્રમસથવારા સંભાળી રહ્યા છે