માનવજ્યોતને ૩૦ હજારનું અનુદાન અપાયું

કોરોનાં સંકટમાં જરૂરતમંદ લોકોની મદદે આવનાર અને ગરીબ લોકોનાં ભૂંગા-ઝુંપડા સુધી પહોંચી જઈ “ભૂખ્યાને ભોજન,, પીરસતી માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઈ બળદીયાનાં શ્રી મેઘબાઈ ખીમજી વેકરીયા હસ્તે શાંતાબેન રવિલાલ વેકરીયા પરિવાર દ્વારા રૂા. ૩૦ હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઈ મહેશ્વરી, સહદેવસિંહ જાડેજાએ દાતા રિવારનો આભાર માન્યો હતો.