માનવજ્યોત દ્વારા કેરા મધ્યે કાર્યાલય શરુ કરાયું સંસ્થાનું કામ અને નામ કચ્છભરમાં બોલે છે : વિનોદભાઇ પાંચાણી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ સાથે 49 પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ પ્રવૃત્તિઓ સમગ્ર કચ્છ,ગુજરાત, દેશભરમાં પહોંચે તેવા ઉદેશ સાથે સહદેવસિંહ જાડેજાનાં સહકારથી કેરા-કચ્છ મધ્યે કાર્યાલયનો આરંભ કરાયો છે. કાર્યાલય પ્રારંભ પ્રસંગે કેરા-કુંદનપરનાં સામાજિક આગેવાન શ્રી વિનોદભાઇ લાલજીભાઇ પાંચાણીએ દિપપ્રાગટ્ય કરી કાર્યાલયને વિધિવત ખુલ્લુ મુકયું હતું. આ પ્રસંગે અતિથિવિશેષ પદ કેરા સરપંચ શ્રી મદનગીરી ગોસ્વામી, ગોવિંદભાઇ ભુડિયા, હરીશભાઇ ખેતાણી, અલ્પેશભાઇ મેપાણી, દેવેન્દ્રભાઇ વાઘજીયાણી,રવજીભાઇ કેરાઇ, લાલજીભાઇ વેકરીયાએ શોભાવ્યું હતું.

પ્રારંભે માનવજ્યોત સંસ્થાના મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્ર્વરીએ મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું. સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવરે સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. માનસિક દિવ્યાંગો માટેની પ્રવૃત્તિ, બિનવારસ લાશોની અંતિમક્રિયા, વધી પડેલી રસોઇ ગરીબોના ઝુંપડે તથા વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન અને જીવદયાની કુંડા- ચકલીઘરો વિતરણ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. માનવજ્યોતની દરેક પ્રવૃત્તિઓને વેગ આપવા કેરા મધ્યે કાર્યાલય શરુ કરાયું હોવાનું જણાવ્યું હતું.

શ્રી સુરેશભાઇ માહેશ્ર્વરી, શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં સંસ્થાની પ્રવૃત્તિઓને વેગ આપવા, માનવસેવા-જીવદયાની પ્રવૃત્તિઓ વધુને વધુ થાય એ હેતુ સાથે માનવજ્યોતનું કેરા મધ્યે કાર્યાલય ખુલ્લુ મુકાયું છે. તેવું જણાવ્યું હતું.

આ પ્રસંગે કુંડા, ચકલીઘર, કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમ ઉદ્ઘાટા શ્રી વિનોદભાઇ પાંચાણીએ જણાવ્યું હતું કે, કેરામાં માનવજ્યોત કાર્યાલય શરુ થવાથી વધુને વધુ જરુરતમંદ લોકો સુધી પહોંચી શકાશે. સંસ્થાનું કામ અને નામ કચ્છભરમાં બોલે છે. રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો, ગુમ થયેલા લોકોને ઘર શોધી આપવાની પ્રવૃત્તિ સરાહનીય છે.

જેશાણીભાઇ, દેવજીભાઇ ગોસ્વામી, વિજયરાજસિંહ જાડેજા, સુલતાન સાહેબ મોરાણી, અલ્તાફભાઇ સમા, શિવુભા જાડેજા, મોહનભાઇ ઠક્કર, આનંદ ઠક્કર, લાલજીભાઇ વાગડીયા, ધનજીભાઇ વાગડીયા, સહિત ગામનાં આગેવાનો, એન.આર.આઇ. ભાઇઓ જેઠાલાલભાઇ સવાણી, રમેશભાઇ હરસીયાણી, કેશરાભાઇ નારદાણી, ધીરજલાલભાઇ લાધાણી, લખુભાઇ પાંચાણી, મુળજીભાઇ ખોખરાઇ, નારાણભાઇ નારદાણી, લાલજીભાઇ વેકરીયા, પરબતભાઇ વેકરીયા, પ્રેમજીભાઇ ગામી, વાલજીભાઇ વરસાણી, હરીશભાઇ ખેતાણી, ભીમજીભાઇ વોરા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શંભુભાઇ જોષીએ જયારે આભારવિધિ સહદેવસિંહ જાડેજાએ કરેલ.

વ્યવસ્થામાં આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, ગોવિંદભાઇ પાટીદાર, મુરજીભાઇ ઠક્કર, પ્રવિણ ભદ્રા, રસીકભાઇ, યેશભાઇ દવે, વનરાજસિંહ જાડેજા, આનંદસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, લખધીરસિંહ દાદુભાઇ જાડેજા, હાજીભાઇ સમેજા, મહેશ્ર્વરી સમાજનાં કાર્યકરોએ સહકાર આપ્યો હતો.