માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના સામેની લડાઇમાં પર્યાવરણને બચાવવા લોક જાગૃતિરૂપે રામદેવ સેવાશ્રમ તથા માધાપર-ભુજાડી માર્ગ ઉપર વૃક્ષારોપણ કરાયું હતું. કૂંડા-ચકલીઘર-ચણ થાળી, શ્વાનો માટે પાણી પીવાની કુંડી, ગાય માતાઓ માટે પાણી પીવાની કુંડી તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ.
સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, પ્રતિક્ષાબેન પવાર, ઇલાબેન વૈશ્ટ્ઠદ્બનવ, આરતીબેન જાષી, દિપેશ ભાટિયા, નીરવ મોતા તથા સંસ્થાનાં સર્વે કાર્યકરો પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં જાડાયા હતા.