ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી મળે, તેમજ ચકલીઓને રહેવા ઘર મળે તેવા ઉદ્શ સાથે માટીનાં કુંડાઓને ચકલીઘરોનું વિતરણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મંદિરો, જાહેર સ્થળો એ આવા કુંડા અને ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. ભુજ વિસ્તારમાં ૪૦ મંદિરોમાં જઇ પ્રાંગણમાં કુંડા-ચકલીઘરો લટકાવાયા છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, વનરાજસિંહ જાડેજા જીવદયાનાં આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે. ચકલીઓ તથા અન્ય પક્ષીઓ આ માટીનાં પાણી ભરેલા કુંડાઓ ઉપર બેસી પોતાની પ્યાસ છીપાવે છે. આ કુંડા નિત્ય સાફ કરી તાજું પાણી ભરવા પણ લોકોને સમજ અપાઇ હતી. માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂકયું છે.