માનવજ્યોત દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી મળે, તેમજ ચકલીઓને રહેવા ઘર મળે તેવા ઉદ્‌શ સાથે માટીનાં કુંડાઓને ચકલીઘરોનું વિતરણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મંદિરો, જાહેર સ્થળો એ આવા કુંડા અને ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. ભુજ વિસ્તારમાં ૪૦ મંદિરોમાં જઇ પ્રાંગણમાં કુંડા-ચકલીઘરો લટકાવાયા છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, વનરાજસિંહ જાડેજા જીવદયાનાં આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે. ચકલીઓ તથા અન્ય પક્ષીઓ આ માટીનાં પાણી ભરેલા કુંડાઓ ઉપર બેસી પોતાની પ્યાસ છીપાવે છે. આ કુંડા નિત્ય સાફ કરી તાજું પાણી ભરવા પણ લોકોને સમજ અપાઇ હતી. માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂકયું છે.