માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા પૂ. જલારામબાપાની ૨૨૧મી જન્મજયંતિ નિમિતે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જઈ મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો.
જલારામજયંતિ પ્રસંગે કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર દ્વારા જરૂરતમંદ ૩૦૦ લોકો માટે તૈયાર ભોજન માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાએ જલારામબાપાનો મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચાડ્યો હતો. અને ભૂખ્યાને ભોજન કરાવવામાં આવેલ. જરૂરતમંદો લાડુ-મોનથાળ-પૂરી-દાળ-ભાત-શાક સાથેનું ભોજન જમી ખુશી વ્યક્ત કરી હતી.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, હરસુખભાઈ ચૌહાણ, દિપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, અક્ષય મોતા અને ઇરફાન લાખાએ સંભાળી હતી.