કચ્છમાં લોકડાઉનમાં પણ લોક ઉપયોગી પ્રવૃત્તિ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ભુજમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે. માનવજ્યોતની પૂરી ટીમ તથા ૭ વાહનો લોકડાઉનમાં પણ લોકોને મદદરૂપ બની રહ્યા છે.

• એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વડીલ વૃદ્ધોને દરરોજ ટીફીન દ્વારા તેમના ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવી રહેલ છે.

• ભુજની જુદી-જુદી હોસ્પીટલોમાં દાખલ દર્દીઓ તથા તેમની સાથેના તેમના સગા-સંબંધીઓને હોસ્પીટલો સુધી નિઃશુલ્ક ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે.

• લોકડાઉનથી કચ્છમાં રખડી-ભટકી પડેલા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા માનસિક દિવ્યાંગો જ્યા થંભી ગયા હતા. ત્યાંથી લઇ તેમને માનવજ્યોત-ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવેલ છે. જ્યાં તેમની દરેક વ્યવસ્થા સાથે સારવાર કરવામાં આવી રહેલ છે. હાલે આશ્રમમાં ૪૭ માનસિક દિવ્યાંગો છે.

• માનવજ્યોતની સીટી એમ્બ્યુલન્સ સેવા અનેક લોકોને ઉપયોગી નીવડી છે. દર્દીઓને ઘર થી હોસ્પીટલ અને હોસ્પીટલથી ઘરે પહોંચાડવામાં મદદરૂપ બની છે.

• ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડા, કાચા મકાનો માં રહેતા અનેક જરૂરતમંદ પરિવારોને ૧૦ વસ્તુઓ સાથેની ૧૦ દિવસ ચાલે તેવી રાશનકીટ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ૪૮૭૬ પરિવારોને આ રાશનકીટ જુદા-જુદા દાતાશ્રીઓના સહકારથી આપવામાં આવી છે. જરૂરતમંદ દરેક પરિવારનાં ઘર સુધી આ કીટો પહોંચાડવામાં આવી છે.

• અત્યાર સુધીમાં ૭ હજારથી વધુ માસ્ક જરૂરતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યા છે.

• દરરોજ જુદા જુદા વિસ્તારોમાં જઇ તાજા શાકભાજી દુધી, ટમેટા, કોબી, ફુલાવર, કાકડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે
છે.

વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જીલ્લા સરકારી વહીવટી તંત્ર તથા કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજનો સાથ અને સહકાર મળી રહ્યો છે.