નારાણપરમાં કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા જીવદયાનાં કાર્યરૂપે કુંડા,ચકલીઘર,કાપડની થેલીઓ તથા જીવદયા સ્ટીકર વિતરણ કાર્યક્રમશ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય નારાણપર મધ્યે યોજાયો હતો. 

પ્રારંભે શાળાનાં આચાર્યાશ્રી વર્ષાબેન જોષીએ આવકાર પ્રવચન આપતાં કન્યા વિદ્યાલયની વિવિધ પ્રવૃત્તિઓની તથા ઇકો કલબ કન્વીનરશ્રી જિજ્ઞાબેન જોષીએ ઇકો કલબની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. 

માનવજ્યોતનાં ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ કન્યાઓને આધ્યાત્મિક પ્રવચન પૂરું પાડયું હતું. માનવજ્યોતનાં પ્રમુખ પ્રબોધ મુનવરે સંસ્થાની કચ્છમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતિ આપી હતી. આ વસરે સંસ્થાનાં શ્રી સહદેવસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની ઉપસ્થિત રહ્યા હતા

કન્યા વિદ્યાલયની બાળાઓને કુંડા, ચકલીઘર, કાપડની થેલી, જીવદયા સ્ટીકરોનું વિતરણ કરવામાં આવેલ. 

વ્યવસ્થામાં વર્ષાબેન જોષી, જિજ્ઞાબેન જોષી, વિજયાબેન વેકરીયા, લતાબેન પટેલ, ખેવનાબા જાડેજા, રાગિણીબેન જાની, રાધાબેન ગુસાઈ, હીનાબેન દુધાત, હંસાબેન વરસાણીએ સહકાર આપ્યો હતો.