ભુજનાં પિંગ્લેશ્વર મહાદેવ મંદિરેથી કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

જુની રાલવાડી મધ્યે આવેલ પિંગ્લેશ્વર મહાદેવ મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ચકલીઘર-કુંડા-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટીએ બળબળતા તાપમાં અબોલા અને તરસ્યા પક્ષીઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા, તેમજ ચકલીઓ માટે રહેવા ચકલીઘરની દરેક ઘરે વ્યવસ્થા કરી જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય સ્વહસ્તે કરવા સમજ આપી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જીવદયાપ્રેમીઓને કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.

વ્યવસ્થામાં મંદિરનાં પૂજારી આનંદપુરી મહાદેવપુરી ગોસ્વામી, રંજનબેન ગોસ્વામી, આરતીબેન જોષી તથા સર્વે રહેવાસીઓએ સહકાર આપ્યો હતો.