ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઝુંપડા અને ભુંગામાં રહેતા પરિવારોને પીવા માટે ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભાનુશાલીનગર પાછળ આવેલ રઘુવંશીનગર મધ્યે ઠંડા પાણીનાં નળવારા માટીનાં માટલા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ૧૦૧ પરિવારોને માટલા તથા માટીની તાવડીઓ નિઃશુલ્ક વિતરણ કરાયા હતા.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું. અત્યાર સુધી સંસ્થા દ્વારા ચાલુ વર્ષે જુદા-જુદા વિસ્તારોમાં ૩૦૦ થી વધુ માટલા વિતરણ કરાયા છે. વિતરણ વ્યવસ્થા માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન ગોર તથા કાર્યકરોએ સંભાળી હતી.