માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલા ઝુંપડા-મૂંગાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને વસ્ત્રો વિતરણ કરાયા હતા. ભુજની ચારે દિશાઓમાં આ વિતરણ કાર્યથી ગરીબોએ ખુશી વ્યક્ત કરી હતી. ભુજ અને ભુજ વિસ્તારમાંથી લોકો પુષ્કળ પ્રમાણમાં જૂનાં કપડા માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડે છે. સંસ્થા આ વસ્ત્રો જરૂરતમંદોને હાથો હાથ પહોંચતા કરે છે. લાંબા સમયથી ચાલતી આ પ્રવૃત્તિને લોકોનો સહકાર સાંપડતો રહે છે. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોનીએ સંભાળી હતી.