કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ, ભુજની જનરલ હોસ્પીટલ બહારે લોકોને અનેક ઔષધિઓ થી ભરપૂર ગરમ ઉકાળો પીવડાવવાનાં કાર્યનો પ્રારંભ થયો. માત્ર ૧૧ દિવસમાં ભુજનાં જુદા- જુદા ૪૦ વિસ્તારોમાં જઇ ૨૦૬૭૮ લોકોને આ કોરોના મહામારી સંકટથી બચાવવા અને રોગ પ્રતિકાર શક્ત વધારવા અનેક ઔષધિઓથી ભરપૂર ગરમ તૈયાર ઉકાળો પીવડાવવામાં આવ્યો. વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાએ સંભાળી હતી.
• જનતા કરફ્યુ દિવસે જરૂરતમંદ ૩૦૦ લોકોને બપોરનાં ફુડ પેકેટસ વિતરણ કરાયા.
• લોકડાઉન શરૂ થતાં જ ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા- ઝુંપડાઓમાં રહેતા શ્રમજીવીકો-મજુર વર્ગ પરેશાનીમાં મૂકાયો. એમનાં ઘરમાં નહોતા પૈસા કે નહતું ખાવાનું. ત્યારે માનવજ્યોત સંસ્થાએ એજ દિવસે આવા જરૂરતમંદ લોકોને દરરોજ ભરપેટ ભોજન કરાવવાનું શરૂ કર્યું. ૩૦૦ ફૂડપેકેટથી શરૂ થયેલી આ પ્રવૃત્તિથી આજે દરરોજ ૨૬૦૦ લોકો સુધી તૈયાર-તાજી અને ગરમ રસોઇ તેના ઝુંપડા-ભૂંગા કે કાચા-પાકા મકાનો સુધી પહોંચાડવામાં આવે છે. આ કાર્ય માટે જુદા-જુદા ગામવાસીઓ ટ્રસ્ટો, મહિલા મંડળો, યુવક મંડળો, સોસાયટીઓ, ગ્રુપો એ તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપવાનું શરૂ કર્યું. જેનાં કારણે કોરોના સંકટમાં આજે ભુજ અને ભુજ વિસ્તારમાં ૨૬૦૦ જરૂરતમંદ લોકોને તેમનાં ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં એક પછી એક ગામ અને સોસાયટીઓ-મહિલા મંડળાઓ જાડાતા ગયા અને આજે અનેક જરૂરતમંદોનાં પેટનો ખાડો આ પરિÂસ્થતિમાં પણ પૂરાઇ રહ્યો છે. તા. ૧૭-૫-૨૦૨૦ સુધીમાં ૧,૨૧,૪૯૧ લોકોને ભોજન કરાવવામાં આવ્યું છે.
• કોરોના સંક્રમણ સામે લોકડાઉન પરિÂસ્થતિ વચ્ચે ૭૦ની વય વટાવી ચૂકેલા, એકલા-અટુલા-નિરાધાર-૭૮ વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે.
• દર્દીઓની સારવાર અર્થે ભુજ પહોંચેલા દર્દીઓનાં સગા- વ્હાલાઓને જુદી-જુદી હોસ્પીટલોમાં બપોર-સાંજ બે ટાઇમ ભુજની જુદી-જુદી હોસ્પીટલોનાં દ્વારા સુધી ટીફીન દ્વારા તેમને ભોજન પહોંચાડાય છે.
• લોકડાઉનથી કચ્છમાં રખડી-ભટકી પડેલા અને માર્ગોમાં પડ્યા- પાથર્યા માનસિક દિવ્યાંગો જ્યા થંભી ગયા હતા, ત્યાંથી લઇ તેમને માનવજ્યોત-ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવેલ છે. જ્યાં તેમની દરેક વ્યવસ્થા સાથે સારવાર કરવામાં આવી રહેલ છે. હાલે આશ્રમમાં ૪૭ માનસિક દિવ્યાંગો છે.
• માનવજ્યોતની સીટી એમ્બ્યુલન્સ સેવા અનેક લોકોને ઉપયોગી નીવડી છે. દર્દીઓને ઘર થી હોસ્પીટલ અને હોસ્પીટલથી ઘરે પહોંચાડવામાં મદદરૂપ બની છે.
• ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડા, કાચા મકાનો માં રહેતા અનેક જરૂરતમંદ પરિવારોને ૧૦ વસ્તુઓ સાથેની ૧૦ દિવસ ચાલે તેવી રાશનકીટ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ૭૦૫૧ પરિવારોને આ રાશનકીટ જુદા-જુદા દાતાશ્રીઓના સહકારથી આપવામાં આવી છે. જરૂરતમંદ દરેક પરિવારનાં ઘર સુધી આ કીટો પહોંચાડવામાં આવી છે.
• અત્યાર સુધીમાં ૯ હજારથી વધુ માસ્ક જરૂરતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યા છે.
• જુદા જુદા વિસ્તારોમાં જઇ તાજા શાકભાજી દુધી, ટમેટા, કોબી, ફુલાવર, કાકડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.
• અચાનક ભુજ આવી ચડેલી અને રખડી-ભટકી પડેલી ૩ યુવતી-મહિલાઓને ૧૮૧ હેલ્પ લાઇનને સોંપવામાં આવેલ.
• કોરોના સંકટ વચ્ચે ૧૧ બિનવારસ લાસોની અગ્ન સંસ્કાર વિધિ કરવામાં આવેલ.
• જરૂરતમંદ લોકોને કપડા વિતરણ તથા મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવેલ.
• ગૌ માતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા નાખવામાં આવેલ. પક્ષીઓ માટે પાણી પીવાનાં માટીનાં કુંડા તથા ચકલીઓ માટે સુરક્ષિત ચકલીઘરોનું વિતરણ કરી પશુ-પક્ષી ઓ માટે પણ સેવા ચાલુ રાખવામાં આવેલ.
• જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સરકારી વહીવટી તંત્ર, પોલીસ તંત્રનું સાથ સહકાર મળતો રહ્યો છે. માનવજ્યોત ભુજની સમગ્ર ટીમ કોરોના સંકટમાં લોકોની વચ્ચે રહી લોકોની મુશ્કેલીમાં લોકોને મદદ રૂપ બની છે.