કચ્છ જીલ્લા પંચાયત, આયુર્વેદીક શાખા, જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી કમલેશભાઈ જોષીનાં માર્ગદર્શન હેઠળ ભુજ શહેરનાં જેષ્ઠાનગર વિસ્તારમાં ૫૦૦ લોકોએ અનેક ઔષધિથી ભરપૂર તૈયાર ગરમઉકાળાનો લાભ લીધો હતો. વિતરણ વ્યવસ્થા માનવજ્યોત સંસ્થા ભુજ અને સખી-સહેલી ગ્રુપ મહિલા મંડળ જેષ્ઠાનગરે સંભાળી હતી.
હોમિયોપેથી ડોકટર પ્રતિક્ષાબેન પવારનાં સહકારથી દરેકને નિઃશુલ્ક હોમીયોપેથી ગોળીઓ તથા માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા માસ્ક વિતરણ કરાયા હતા.
એક પછી એક શેરીનાં લોકોને બોલાવી ઉકાળો પીવડાવી સોશ્યલ ડીસ્ટન્સ જાળવાયું હતું. કોરોનાં સામે સાવચેતીના પગલા રૂપે દરેક લોકોને માઇક સીસ્ટમ દ્વારા જાગૃતિ રૂપે સમજ પૂરી પાડવામાં આવેલ. ઉકાળો પીવા આવનાર દરેકને સેનીટાઈઝરથી હાથ સાફ કરાવાયા હતા. તેમજ દરેકને માસ્ક અપાયા હતા.
ત્યાર બાદ કલેકટર ઓફિસ સામે, બહુમાળી ભવન નીચે, ટાઉન હોલ પાસે, હમીરસર તળાવ કાંઠે, જુના એસ.ટી.બસ સ્ટેશન વિસ્તાર, વધુ ૫૦૦ લોકોને ઉકાળો પીવડાવવામાં આવેલ.
માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, ઇલાબેન વૈષ્ણવ, આરતી જોષી, વનરાજસિંહ જાડેજા તેમજ સખી સહેલી ગ્રુપ મહિલા મંડળનાં અનીતાબેન ઠાકુર, અલ્માશ ખલીફા, પારૂલબેન ગોર, શાંતાબેન દરજી, મીનાબેન ઠક્કર, કુસુમબેન ચંગલ, ઉષાબેન જોઢંગીયા, અનસોયાબેન જોઢંગીયા તથા ૨૫૦ જેટલા મહિલા કાર્યકરોએ જુદી-જુદી શેરીઓમાં વ્યવસ્થા સંભાળી હતી.