કોટીવૃક્ષ અભિયાન બીદડા-કચ્છનાં શ્રી એલ.ડી. શાહનાં માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકામાં મોટાપાયે વૃક્ષારોપણનું કાર્ય થયેલ. સરકારી વહીવટી તંત્ર, સંસ્થાઓ, શાળા-કોલેજો, વિવિધ મંડળો, દરેક ગામવાસીઓ, પંચાયતો દ્વારા ઠેર-ઠેર વૃક્ષારોપણ કરાયું. પરિણામે માંડવી સમગ્ર તાલુકામાં શ્રીકાર વરસાદ થતાં સમગ્ર માંડવી તાલુકો લીલોછમ અને હરિયાળું બન્યું છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી છે. તો પશુધન માટે સુખનાં દિવસો આવ્યા છે. નદી-તળાવો-ડેમો છલકાયા છે પીવાનાં પાણીની સમસ્યા હલ થઇ છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં સારો વરસાદ થયેલ છે. વરસાદી પાણી સંગ્રહ થતાં પીવાનાં પાણીની સમસ્યા હલ થઈ છે. કચ્છનાં ગામડે ગામતથા શહેરોમાં કોટીવૃક્ષ અભિયાનનાં મજબૂત ટ્રી ગાર્ડ વૃક્ષોને ઉછેરતા અને રક્ષણ પૂરું પાડતાં જોવા મળે છે. શ્રી એલ.ડી. શાહનાં સફળ પ્રયત્નો આજે આપણે જોઇ રહ્યા છીએ. બીદડા સર્વોદય ટ્રસ્ટ તથા કચ્છની અનેકવિધ સંસ્થાઓ આ કાર્યને વેગ આપી રહી છે. ભુજમાં તેરાતુજકો અર્પણ, માનવજ્યોત તથાવિવિધ સંસ્થાઓ વૃક્ષારોપણ પ્રવૃત્તિને આગળ ધપાવી રહેલ છે. માધાપર-વર્ધમાનનગર માર્ગ ઉપર માનવજ્યોત સંસ્થાએ પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ૪૦૦ વૃક્ષો વાવ્યા છે. માનવજ્યોતના શંભુભાઈ જોષીએ અનેક મંદિરો, શાળાઓ, હોસ્પીટલો, સંસ્થાઓમાં વૃક્ષારોપણ કર્યું છે. સારો વરસાદ થતાં લોકો વધુને વધુ વૃક્ષારોપણ કરે તેવું કોટીવૃક્ષ અભિયાનની એકયાદીમાં જણાવ્યું છે.
શ્રી એલ.ડી. શાહે વૃક્ષારોપણ, પાણીસંગ્રહ, વ્યસન મુક્તિ અભિયાન, સ્મૃતિવન, કાપડની થેલીઓનું વિતરણ, બાળકોને અક્ષરજ્ઞાન, વૃદ્ધોને ભોજન પાછળ પોતાની આખી જિંદગી સમર્પિત કરી નાખી. ગામડાઓ અને શહેરોમાં કોટીવૃક્ષ અભિયાનનાં સિમેન્ટનાં મજબૂત ટ્રી ગાર્ડ આજે પણ આ પ્રવૃત્તિઓનાં સાક્ષી બનીને ઉભા છે. શ્રી એલ.ડી.શાહે ૧૧ જેટલા સ્થળોએ માતબર રકમનાં દાન આપી “જલારામઅન્નક્ષેત્રો દ્વારા દર્દીઓ તથા ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિઓને કાયમી બનાવી દીધી. વરસાદી પાણી સંગ્રહ અને વૃક્ષારોપણ ક્ષેત્રે અભૂત કાર્ય કર્યું છે. શાળાઓ, સરકારી કચેરીઓ, સંસ્થાઓ તથા અનેકવિધ ગામડાઅને શહેરોમાં જે કાર્ય કર્યું છે તેવંદનીય છે. આપણે સૌ સાથે મળીઆદરેક પ્રવૃત્તિઓને સાથ-સહકાર-સહયોગથી આગળ ધપાવીએ. બે મુખ્ય માર્ગો વચ્ચેનાં ડીવાઈન્ડરો ઉપર વૃક્ષો વાવી રોડ રસ્તાઓને સુશોભિત બનાવીએ. દરેક વ્યક્તિ વૃક્ષો વાવે અને વૃક્ષોને ઉછેરે તોજ આપણે આવનાર કુદરતી આફતોનો સામનો કરી શકશું.
દરેક વેપારી પોતાની દુકાન-ઓફિસ સામે આવેલા વૃક્ષને દરરોજ એક ગ્લાસ પાણી આપે. વૃક્ષ વૃદ્ધિ પામશે. ધંધામાં વૃદ્ધિ થશે. આપણે સૌ વધુને વધુ વૃક્ષો વાવીએ. વધુને વધુ વૃક્ષો ઉછેરીએ જે આપણી ભાવિ પેઢી માટે આશિર્વાદરૂપ બની રહેશે.
વૃદ્ધાવસ્થામાં પહોંચેલા શ્રી એલ.ડી. શાહ આજે પણ વૃક્ષારોપણ તથા પાણી સંગ્રહ ક્ષેત્રે લોકોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડી પ્રેરણારૂપ બન્યા છે.