દિપાલીપર્વ નિમિત્તે ૫૦૦ મહિલાઓને પાંચ-પાંચ સાડીઓ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શહેરનાં ઝુંપડા અને ભૂંગામાં રહેતા ગરીબ અને શ્રમજીવી પરિવારોની મહિલાઓ પણ દિપાલીપર્વની ઉજવણી મનાવી શકે તેવા હેતુ સાથે શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલ ઝુંપડા-ભુંગાઓ સુધી જઇ જરૂરતમંદ પરિવારોની મહિલાઓને પાંચ-પાંચ સાડી અર્પણ કરી દિપાવલીપર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી સંસ્થાની સેવાઓને બિરદાવી હતી. ૫૦૦ મહિલાઓને આ સાડીઓ અર્પણ કરાઇ હતી.

જુદા-જુદા વિસ્તારોમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી મુળજીભાઇ ઠક્કર, રફીક બાવા, જેરામ સુતાર, દીપક જાની, કનૈયાલાલ અબોટી, પ્રતાપ ઠક્કર, હિતેશ ગોસ્વામી, ઇરફાન લાખાએ વ્યવસ્થા સંભાળી હતી.