10 વિધવા મહિલાઓની દિવાળી સુધરી માનવજ્યોત સંસ્થા દ્વારા 10 વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા

દિપાવલી પર્વ જયારે નજીક આવી રહ્યો છે. ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર પરિવારનાં સહયોગથી 10 વિધવા મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં વિધવા મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 618 વિધવા મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. આ પ્રસંગે દાતાશ્રી પરિવારનું બહુમાન કરવામાં આવેલ.

પ્રબોધ મુનવરે પ્રસંગ મહત્વ સમજાવતાં વિધવા મહિલાઓને પગભર કરવા તથા તેઓ ઘેર બેસી સિવણનું કાર્ય કરી સમાજમાં સ્વમાન સાથે જીવી શકે તેવા ઉદેશ સાથે આવા મહિલાઓને સિવણ મશીન અપાતા હોય છે તેવું જણાવ્યું હતું. સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ અનુરુપ વક્તવ્ય આપ્યું હતું.

વ્યવસ્થા અરવિંદભાઇ ઠક્કર, આનંદ રાયસોની, રફીક બાવા, નીતીનભાઇ ઠક્કર, ગોવિંદભાઇ પાટીદાર, મનસુખભાઇ નાગડા, કનૈયાલાલ અબોટી, ભરતભાઇ સોનીએ સંભાળી હતી. આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ