માનવજ્યોત દ્વારા અધિકમાસની વિવિધ સેવાઓ સાથે થઇ રહેલી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અધિકમાસ (પુરૂષોત્તમમાસ) ની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી રહેલ છે. વિવિધ પરિવારો આશ્રમે પધારી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી ધન્યતા અનુભવી રહ્યા છે. 

ભુજ સ્વામિનારાયણ મંદિર, ભુજ કબીર મંદિર, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, રામદેવપીર મંદિર લાખોંદ, દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસાયા હતા. માધાપરનાં સ્વ. રતનજી હીરજી હીરાણી, સ્વ. હેતલબેન હરીલાલ વરૂ, સ્વ. દેવશીભાઇ રવજી હીરાણી, રતનબેન વેલજી હીરાણી, હીરજીભાઈ શામજી વેકરીયા, સાવિત્રીબેન નવિનચંદ્ર ઉમરાણીયા, પૂરીબેન જાદવજી લાલજી હાલાઈ, સ્વ. સુંદરબેન વેલજી પિંડોરીયા, સ્વ. કરશનભાઈ રવજી હીરાણી, સુરેશભાઈ દેવશી હીરાણી, ભીમજી હરજી આસાણી-દહીંસરા, મિરત રાજેશ સોની, રાજેશ નરોત્તમલાલ બગા, તન્વી ઘનશ્યામભાઈ શાહ-ભુજ, સ્વ. જયવીરસિંહ ઝાલા-કેરા, મનહરબા જખુભા જશુભા જાડેજા-ટપ્પર, ઈન્દીરાબેન દિનેશ દેઢીયા-કોટડા, અમૃતબેન વેકરીયા-બળદીયા, પ્રિતિબેન પ્રકાશ શાહ, ઘનશ્યામભાઈ હીરાલાલ બુચ-ભુજ, વંદના સોસાયટી, ગીતા એપાર્ટમેન્ટ મહિલા મંડળ-આદિપુર, ખુશી યશોમતી મૈશેરી-ડોમ્બીવલી, પી.આર. પટેલ ભુજ પરિવારજનોએ માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવાનો લાભ લીધો હતો. 

ભાવનાબેન જેરામગોરસીયા સર્વે બહેનો-માધાપર, આઈયા નગર મહિલા મંડળ-માધાપર, પ્રિતિબેન રમેશભાઈ ખીમાણી – દહીંસરા, અરવિંદભાઈ ચૌહાણ-કુકમા, ભુજ શક્તિનગર-૨ ના રહેવાસીઓએ તૈયાર રસોઈ માનવજ્યોતને પહોંચાડતા સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે રસોઈ વિતરણ કરતાં અનેક ગરીબોનાં પેટનો ખાડો પૂરાયો હતો. આમઅધિક માસમાં અનેકવિધ પરિવારો ભુખ્યાને ભોજન સેવાનો લાભ લઈ પુન્યની કમાઈ કરી રહ્યા છે. 

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, ફીક બાવા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી,દિપેશ શાહ, આનંદ રાયસોની, અક્ષય મોતાએ સંભાળી હતી. 

આ અધિક માસમાં પુણ્યનું ભાથું બાંધવા અનેક પરિવારો, દાતાશ્રીઓ રંક બાળકોને ભોજન કરાવી રહ્યા છે. એકલા-અટુલા નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવાનો તથા માનવસેવા અને જીવદયાનાં કાર્યોનો લાભ લઈ હ્યા છે.