Category Archives: Uncategorized

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની પુણ્યતિથિ ઉજવાઇ

નામદાર મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ. તેમજ એકલા-અટુલા નિરાધાર 103 વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજાએ સંભાળી હતી.

માનવજ્યોતને અનુદાન અપાયું

સ્વ. જવેરબેન જેરામભાઇ જોષી દહીંસરા હસ્તે ડો. શાસ્ત્રી જિતેન વસંતભાઇ જોષી ભુજ દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને માનવસેવા અને જીવદયા કાર્ય માટે રુ. 51 હજારનો ચેક અર્પણ કરાયો હતો. અ.નિ. સામબાઇ કરશન ગોપાલ હાલાઇ સૂરજપર દ્વારા રુ. 25 હજારનો ચેક અર્પણ કરાયો હતો. જીવદયા અને માનવસેવા પ્રેમી અને ખેડૂત એવા સવરાજભાઇ લખમણ ગઢવી (સાખરા) વડીવાડી ભુજપુર […]

રેલ્વે મારફતે પોતાનાં બે માસુમ બાળકો સાથે ભુજ પહોંચેલી યુવાન મહિલાએ પોતાનાં બંને બાળકોને ઢોર માર માર્યો

ભુજનાં રેલ્વે સ્ટેશને ટ્રેન મારફતે એક યુવાન મહિલા પોતાનાં ૩  અને ૪  વર્ષનાં બાળક-બાળકી સાથે ભુજ રેલ્વે સ્ટેશને ઉતરી હતી. અને રેલ્વે સ્ટેશન બહારે નીકળતાંજ હંગામો મચાવ્યો હતો. લોકોના ટોળા એકઠા થઇ ગયેલ. પોતાનાં ૩ વર્ષનાં બાળક અને ૪ વર્ષની બાળકીને ઢોર માર માર્યો હતો. બે પગ પકડી તેમને ગોળ ફરાવી ભીંતમાં ભટકાવેલ. આ દ્રશ્ય […]

મુસ્લીમ યુવાનને રમઝાન માસ ફળ્યો વેસ્ટ બંગાળનાં યુવાનનું ૧૭ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

વેસ્ટ બંગાળનાં પોંચા બિહાર જીલ્લાનો યુવાન મુસ્તાકઅલી ઉ.વ. ૨૩  ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી ખૂબ જ ચિંતા સેવી હતી. વર્ષો સુધી તે વિવિધ રાજ્યોનાં  શહેરો, ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો.  પરિવારજનોએ તે મળશે તેવી આશાઓ પણ છોડી દીધી હતી. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલક […]

પુત્ર ગુમ થયો ત્યારથી ચેનથી સૂતી નથી આજે પુત્ર હેમ-ખેમ મળતાં અનહદ ખુશી છે. માતાની આંખોમાંથી દળ-દળ આંસુ વહ્યાં

ઓરિસ્સાનાં રાઉરકેલા વિસ્તારનો યુવાન રાજકુમાર પાત્રે ઉ.વ. 25 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ કયાં પણ અતો-પતો નમળતાં પરિવાર નિરાશ થયો હતો અને ચિંતામાં મુકાયો હતો. આખરે તે રખડતો-ભટકતો 7 મહિનાં પછી ટ્રેન મારફતે ભુજ પહોંચ્યો હતો. અને પગે ચાલતાં ભુજ-ખાવડા માર્ગેથી વાલજીભાઇ કોલીને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી […]

શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]

1791 માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા પરિવારજનો સાથે થયું ફેર મિલન

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોની સેવાની શરૂઆત સંસ્થાનાં ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરો દ્વારા પોતાના સ્વખર્ચે અને પોતાના જ તન, મન, ધન અને સમયનાં ભોગ સાથે કરવામાં આવી મુખ્ય માર્ગો, રસ્તા ઉપર કેટલાય બિનવારીસ માનસિક દિવ્યાંગો રખડતા-ભટકતા જોવા મળ્યા. આવા માનસિક દિવ્યાંગોને પોતાના માનીને પ્રેમપૂર્વક સંભાળી રસ્તે રઝળતા આવા લોકોને સ્નાન કરાવું, ભોજન આપવું,નખ-વાળ કાપવા, […]

રોગ પ્રતિકાર શક્તિ વધારવા આયુર્વેદીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ

નિયામકશ્રી આયુષ ગાંધીનગર અને આયુર્વેદ શાખા કચ્છ જીલ્લા પંચાયત ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થાના સહકારથી કોરોના સામે રક્ષણ મેળવવા તેમજ શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ વધારવા અનેક ઔષધિઓથી ભરપૂર “શમશની વટી, આયુર્વેદીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરાયું છે.  જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીએ “શમશની વટી, આયુર્વેદીક ગોળીઓ વિતરણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ડો. પ્રતિક્ષાબેન […]

છત્રપતિ શિવાજી મહારાજની જન્મજ્યંતિ પ્રસંગે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતિ પ્રસંગે મહારાષ્ટ્ર ગણેશ મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું. મંડળનાં સંતોષભાઇ મરાઠા, રાજુભાઇ મરાઠા, બાબુભાઇ મરાઠા, વિકાસભાઇ મરાઠા તથા મંડળનાં સર્વે સભ્યોએ સ્વહસ્તે મનોરોગીઓને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડ્યું હતું. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, ગુલામ મોતાએ સહકાર આપ્યો […]

માનવજ્યોત દ્વારા શહિદોને અંજલિ અપાઇ

પુલવામા શહીદ થયેલા દેશનાં વીર જવાનોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આંતકવાદીઓ દ્વારા થયેલા હુમલાને વખોડી કાઢવામાં આવેલ. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જાષી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી તથા સર્વે કાર્યકરોએ વીર જવાનોને અંજલિ આપી હતી.