બરોબર સાંજના પાંચ વાગે વર્ધમાનનગરવાસીઓ પોત-પોતાનાં ઘરમાં ગેટ, બાલ્કની ઉપર પહોંચી જઇ ઘંટ-ઘંટડી, થારી-દાંડી વગાડી ડોકટરશ્રીઓ, પોલીસ તથા કોરોના સામે લડવા લોકોની સાથે રહેનારાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. દરેક પોતાના ઘરે રહી સેવા આપનાર સર્વેની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. સરપંચ જ્યોતિબેન વિકમશી, દિપક લાલન,રાહુલ મહેતા,હસમુખ વોરા, કવિતા ઝવેરી, નિતીન ઝવેરી, પ્રબોધ […]
Category Archives: Activities
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા સચિવ શ્રી બી.એન. પટેલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ રવિવારે જનતાકરફયુ પહેલા શનીવારે રાત્રે ૧૦-૩૦ કલાકે જરૂતમંદ ૮૫ પરિવારોને સૂકો નાસ્તો પહોંચાડવામાં આવ્યો હતો. વ્યવસ્થા પેરાલીગલ વોલીન્ટીયરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ સંભાળી હતી. રોજ રોજ મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આવા ૮૫ પરિવારોને રવિવારનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ભુજ વિસ્તારમાં એકલા-અટુલા-નિરાધાર, ૭૦ની વય વટાવી ચૂકેલા ૧૦૦ વૃદ્ધ વડીલોનાં ઘરે દરરોજ સવારે ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. કોરોના વાયરસને ધ્યાને લઇ શનીવારે સાંજે આ દરેક વૃદ્ધોનાં ઘરે રવિવાર જનતા કફર્યુ દિવસ માટે સૂકો નાસ્તો મોકલી આપવામાં આવ્યો હતો. પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ […]
માનવસેવા, જીવદયા અને પર્યાવરણ સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર માનવજ્યોત સંસ્થા ભુજને સ્વ. તુલસીદાસ જમનાદાસ કેવડીયા પરિવાર દ્વારા રૂ. ૫૧ હજારનો ચેક અર્પણ કરાયો હતો. પરિવારનાં નાના ભૂલકાઓએ સ્વર્ગસ્થની પુણ્ય સ્મૃતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને સંસ્થાની પ્રવૃત્તિઓ માટે અનુદાન આપ્યું હતું. પરિવારનો આભાર માનવામાં આવેલ.
કચ્છ જીલ્લા પંચાયત ભુજ આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી કમલેશભાઇ જાષીનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની વ્યવસ્થા દ્વારા કોરોનાં તથા અન્ય વાયરસ સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્ત વધારવા છેલ્લા ૧૦ દિવસમાં ભુજ શહેરનાં જુદા-જુદા ૩૫ વિસ્તારોમાં જઇ ૨૦ હજાર લોકોને હરતા ફરતા વાહન દ્વારા અનેક ઔષધિઓમાંથી બનાવેલો તૈયાર […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા “વિશ્વ ચકલી દિવસ,, ની ઉજવણી ભજીયા હાઉસ પાલારા પાસે વૃક્ષો ઉપર ચકલીઘરો લટકાવીને કરવામાં આવી હતી.કોરોના વાયરસની ચેતવણી રૂપે કુંડા-ચકલીઘર વિતરણ કરાયા ન હતા. તા. ૩૧ પછી વાતાવરણ સારૂં થશે ત્યાર પછી કુંડા ચકલીઘર વિતરણ કરાશે. ભુજ – ખાવડા માર્ગ ઉપર આવેલ ભજીયા હાઉસની ચારે બાજુ મોટા વૃક્ષો ઉપર ચકલીઘરો લટકાવી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી “ચકલી બચાવો’’ અભિયાન ચાલી રહ્યું છે. માટીનાં ચકલીઘરો જાહેર સ્થળો અને અનેક મંદિરોનાં પ્રાંગણોમાં લટકતા જાવા મળી રહ્યા છે. માટીનાં ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂકયા છે. કચ્છનાં દરેક ગામો અને શહેરો સુધી માનવજ્યોતનું જીવદયાનું આ કાર્ય પહોંચી ગયું છે. માટીનું ચકલીઘર ચકલીઓને ઠંડક પૂરી પાડે છે […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે ૨૦મી માર્ચનાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં કરવામાં આવતી હોય છે. પણ ચાલુ વર્ષે કોરોના વાયરસને ધ્યાને લઇ આ ઉજવણી મોકુબ રાખવામાં આવી છે. તેવું માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ જણાવ્યું હતું.
કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ, કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના તથા અન્ય વાયરસ સામે રોગ પ્રતિકાર શક્તિ મેળવવા અનેક ઔષિધઓમાંથી બનાવેલો તૈયાર ઉકાળો ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં લોકોને પીવડાવવામાં આવી રહ્યો છે. પાલારા ખાસ જેલનાં કેદીઓ તથા સ્ટાફ ૬૦૦, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની ૬૦ બાળાઓ, શ્રી રામદેવ સેવાશ્રમનાં […]
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને નિયામકશ્રી આયુષ ગુજરાત દ્વારા પ્રેરિત, કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને કચ્છ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. કમલેશભાઇ જાષીનાં માર્ગદર્શન હેઠળ કોરોના તથા અન્ય વાયરસ સામે રોગ પ્રતિકાર શÂક્ત માટે અનેક ઔષધિઓમાંથી બનાવેલા તૈયાર ઉકાળા વિતરણનો બે દિવસમાં ૧૭૨૧ લોકોએ લાભ લીધો હતો. વ્યવસ્થા માનવજ્યોત સંસ્થા ભુજ […]