કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ, ભુજની જનરલ હોસ્પીટલ બહારે લોકોને અનેક ઔષધિઓ થી ભરપૂર ગરમ ઉકાળો પીવડાવવાનાં કાર્યનો પ્રારંભ થયો. માત્ર ૧૧ દિવસમાં ભુજનાં જુદા- જુદા ૪૦ વિસ્તારોમાં જઇ ૨૦૬૭૮ લોકોને આ કોરોના મહામારી સંકટથી બચાવવા અને રોગ પ્રતિકાર શક્ત વધારવા અનેક ઔષધિઓથી ભરપૂર ગરમ તૈયાર ઉકાળો પીવડાવવામાં આવ્યો. વ્યવસ્થા […]
Category Archives: Activities
લોકડાઉનમાં ભુજ તાલુકાનાં ધાણેટી ગામના (જી.આર.ડી.) ગ્રામ રક્ષક દળનાં બહેનો દ્વારા ૫૦૦ જણાની ખીર-પૂરી-શાક તાજી-ગરમ-તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં સંસ્થાએ ભુજ વિસ્તારમાં જરૂરતમંદ લોકો સુધી આ રસોઇ પહોંચાડતા ભૂખ્યા લોકો ભરપેટ જમ્યા હતા. જી.આર.ડી. નાં બહેનોએ ગામવાસીઓના સાથ અને સહકારથી મોઢા ઉપર માસ્ક બાંધી ડીસ્ટન્સ જાળવી આ રસોઇ તૈયાર કરી હતી. વિતરણ વ્યવસ્થા […]
અટલનગર-ચપરેડી ગામવાસીઓ દરરોજ ૩૦૦ જણાની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. લોકડાઉનમાં આ રસોઇ જરૂરતમંદ લોકો સુધી પહોંચે છે. જેથી અનેક ભૂખ્યા લોકોનાં પેટનો ખાડો પૂરાય છે. અટલનગર-ચપરેડી સર્વે ગામવાસીઓ તથા અટલનગર યુવા સર્કલ તથા સર્વે ભાઇ-બહેનો સેવાયજ્ઞમાં જાડાયા છે. આ તૈયાર રસોઇ માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદરાયસોની, રફીક બાવા, દિપેશ ભાટિયા, નીરવ મોતા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના મહામારી સંકટમાં જરૂરતમંદોને સાડી તથા વસ્ત્રો વિતરણ કરાયા હતા. આવા સમયમાં લોકોને આ કપડા બહુ ઉપયોગી બન્યા હતા. શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદો સુધી સાડી, વસ્ત્રો પહોંચતા કરાયા હતા. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોનીએ સહકાર આપ્યો હતો.
જન્મદિને અને પુણ્યતિથિએભૂખ્યાજય નીલ ભટ્ટે પોતાનો જન્મદિવસ, કોરોના મહામારી સંકટમાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧૦૦ ભૂખ્યા લોકોને ભોજન કરાવીને મનાવ્યો હતો. તૈયાર રસોઇ બનાવી માનવજ્યોતને આપતાં ભૂખ્યા સુધી ભોજન પહોંચ્યું હતું. હબાયનાં નંદકિશોરભાઇએ પોતાનાં પિતાશ્રી સ્વ. માવજી રાણા કેરાસિયાની પુણ્યતિથિ નિમિત્તે કોરોના મહામારી સંકટમાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧૦૦ ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું. તૈયાર રસોઇ બનાવી […]
કોરોના મહામારી સંકટમાં લોકોને ઉપયોગી થનાર અને ભુજ વિસ્તારમાં દરરોજ ૨૫૦૦ ભૂખ્યા લોકોને તેમનાં ઘર સુધી જઇ ભોજન કરાવનાર અને ૧૬ વર્ષથી ભુજ અને ભુજ વિસ્તારમાં માનવસેવા, જીવદયા તથા પર્યાવરણ લક્ષી અને વ્યસનમુક્ત અભિયાન જેવી પ્રવૃત્તિ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી ખુશ થઇ શ્રી ભગુભા જુવાનસિંહ વાઘેલા પરિવાર, અશોકસિંહ બી.વાઘેલા, પ્રદિપસિંહ બી. વાઘેલા તથા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લોકડાઉન દરમ્યાન દરરોજ ૨૫૦૦ થી વધુ જરૂરતમંદ લોકોને દરરોજ બપોરે તેમનાં ઝુંપડા-ભૂંગા મકાનો સુધી જઇ ભોજન પહોંચાડવામાં આવે છે. આ પ્રવૃત્તિથી અનેકોનાં પેટનો ખાડો પૂરાઇ રહ્યો છે. અને એક પછી એક ગામો, ટ્રસ્ટો, મહિલા મંડળો, યુવક મંડળો, મંદિર ટ્રસ્ટો આ સેવા યજ્ઞને આગળ ધપાવી રહ્યા છે. દરરોજ બપોરે ૨૫૦૦ ભૂખ્યા લોકોને […]
માધાપર નવાવાસ વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ સોસાયટીનાં રહેવાસીઓ છેલ્લા ૧૫ દિવસથી દરરોજ ૨૦૦ જણાની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. આ ગરમ રસોઇ અનેક જરૂરતમંદોનાં જઠારાગ્ન ઠારે છે. યોગેશ ગોસ્વામી તથા સર્વે કાર્યકરો અને બહેનો માનવસેવાનું આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. દરરોજ અનેકોનાં પેટન ખાડો પુરાઇ રહ્યો છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે આભાર વ્યક્ત […]
ભુજ શહેર મુન્દ્રા રોડના આઇયાનગર વિસ્તારનાં ઓમકારેશ્વર મહિલા મંડળ ભુજ દ્વારા તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદો ભરપેટ જમ્યા હતા. મહિલા મંડળનાં કમલબેન જાષી, જાગૃતિબેન અંતાણી, જયેન્દ્રબાળા માંડલીયા, ભાવનાબેન સોની, હેતલબેન મહેતા, સીમાબેન કોકા, જ્યોતિબેન મડિયાર, પ્રવિણાબેન, હંસાબેન, પ્રિયાબેન તથા મંડળનાં સર્વે બહેનોએ તૈયાર ભોજન બનાવવા સહભાગી બન્યા હતા. વિનોદભાઇ […]
ભુજ તાલુકાનાં ઝીંકડી ગામે મિશન મંગલમ્ યોજનાનાં સખી મંડળનાં બહેનો તથા પરમેશ્વર સખી મંડળ અને ઝીંકડી ગામવાસીઓએ ૩૦૦ જણાંની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદોનાં ઝુંપડે જઇ આ રસોઇ વિતરણ કરતાં ગરીબોનાં પેટનો ખાડો પૂરાયો હતો. ઝીંકડી ગામનાં બહેનો સાથે મળી ડીસ્ટન્સ જાળવી રસોઇ તૈયાર કરી માનવતાનાં આ કાર્યમાં સહયોગી બન્યા […]