Category Archives: Activities

અધિક માસ નિમિત્તે માનવજ્યોત દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અધિક માસ (પુરૂષોત્તમ માસ) નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાશે.  અધિક માસ દરમ્યાન રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોનાં આશ્રય સ્થાન શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોને વિવિધ પરિવારો દ્વારા ભોજન કરાવાશે.  માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓને […]

સ્વ. વાસુદેવભાઇ ઠક્કરની અગિયારમી પુણ્યતિથિએ અંજલિ અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની ૧૧મી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેમની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી અંજલિ આપવામાં આવી હતી. અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું.  શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ માટે અઢી એકર જમીન એમણે માનવજ્યોત સંસ્થા ભુજને અર્પણ કરી હતી. જ્યાં આજે કચ્છમાં […]

માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી શ્રાદ્ધની કરી અનોખી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જુદા-જુદા પરિવારો શ્રાદ્ધની અનોખી ઉજવણી કરી રહ્યા છે. આશ્રમ સ્થળે દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તિર્થ ગોર અને જાણીતા ગોરમારાજદિપકભાઈ જોષી અહીં શ્રાદ્ધ ઉજવવા આવતા દરેક પરિવારોને શાસ્ત્રોક્તવિધિવિધાન કરાવે છે.  સ્વ. રૂક્ષ્મણીબેન જટાશંકર સોની, સ્વ. વનીતાબેન કિશોરચંદ્ર સોની, સ્વ. દિનેશભાઈ નાનજી કતીરા, સ્વ. […]

જન્મદિન ઉજવણીમાં આવ્યો નવો વળાંક લોકો સાદગીભરી ઉજવણી સાથે બીજને મદદરૂપ બન્યા

કોરોના વાયરસનાં કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સરકારી ગાઈડલાઈન્સને અનુસરીને, ખોટા ખર્ચાથી બચી, ખર્ચમાં કરકસર કરી, અનેક પરિવારો આજની કાળઝાળ મોંઘવારીમાં જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા આગળ આવ્યા છે. જન્મદિવસની સાદગીભરી ઉજવણી સાથે બીજાને મદદરૂપ બનવાની અંતરની ભાવનાંઓ પ્રગટ થઇ છે.  કેનવી શૈલેષ શાહ, લીનાબેન નરેશભાઈ સતરા, રાજુલ ગીરીશભાઈ છેડા, ધીરેનભાઈ લક્ષ્મીકાંત શાહ, તરંગ વિશાલ લાલકા, પ્રકાશભાઈ […]

અનેક પરિવારોએ બારસ અને શ્રાદ્ધની કરી અનોખી ઉજવણી રવર્ગસ્થ પુણ્યાત્માઓનાં આત્માની શાંતિ અર્થે અનોખી પહેલ

કોરોના વાયરસ મહામારી સંકટનાં કારણે અનેક પરિવારોએ બારસ અને શ્રાદ્ધની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિવારનાં સ્વજનનાં મૃત્યુ પછીનાં બારમાં દિવસે બારસ કે અત્યારે ચાલી રહેલા શ્રાદ્ધ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી પુન્યની કમાઈ કરી હતી. ભૂખ્યાને ભોજન પહોંચાડી અત્યારની પરિસ્થિતિમાં જરૂરતમંદોને મદદરૂપ […]

૧૦૦ વૃદ્ધ વડીલોનાં ઘરે ભોજન પહોંચાડવા વૃદ્ધ મહિલાએ તૈયાર રસોઇ બનાવી આપી

ભુજ શહેરનાં શિવકૃપાનગર વિસ્તારમાં રહેતા ૭૩ વર્ષિય જયેન્દ્રાબેન લક્ષ્મીકાંત પંડયા તથા મણીબેન કરશન પટેલે એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠાટીફીન દ્વારા ભોજન પહોંચાડવા તૈયાર રસોઈ પોતાનાં ઘરે બનાવી આ વૃદ્ધ વડીલોને પહોંચતી કરવા માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં સંસ્થાએ સુંદર સ્વાદિષ્ટ રસોઈ સાથેનું ટીફીન ભરી ભોજન વૃદ્ધ વડીલોને પહોંચાડતા વડીલ વૃદ્ધોએ ખુશી વ્યક્ત કરી હતી. ૭૨ વર્ષિય […]

ઉપયોગી દવાઓ એકઠી કરી માનવજ્યોતને અપાઇ 

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી ભુજ દ્વારા ઉપયોગી દવાઓ એકઠી કરી માનવજ્યોત સંસ્થા ભુજને અપાઈ હતી. સંસ્થા આ દવાઓ ડોકટરશ્રીની ચિઠ્ઠી મુજબ જરૂરતમંદ દર્દીઓને નિ:શુલ્કપહોંચાડશે.  જાયન્ટ્સ સાહેલીનાં પ્રમુખ તરૂણાબેન અમૃતિયા, નીરૂબેન કેશરાણી, અલ્પાબેન પટેલ, યુનિટ ડાયરેકટર મીનાબેન વાઘમશીનાં વરદ હસ્તે ડો. જે.પી. કેશરાણીની ઉપસ્થિતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા કનૈયાલાલ અબોટીને અર્પણ કરાતાં માનવજ્યોત સંસ્થાએ જાયન્ટ્સ ગ્રુપ […]

શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શ્રાદ્ધની અનોખી ઉજવણી 

પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થે શ્રાદ્ધ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મળે પધારતા સ્વર્ગસ્થોનાં પરિવારજનોનાં વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ કાર્ય પૂર્ણ કરાવી માનસિક દિવ્યાંગોને એમનાં પરિવારજનોનાં સ્વહસ્તે ભોજન કરાવાયા છે. શાસ્ત્રોક્તવિધિ વિધાન મારાજશ્રી દિપકભાઈ જોષી કરાવી રહ્યા છે.  માનવજ્યોત સંસ્થાએ આશ્રમમળે સુંદર વ્યવસ્થા ગોઠવી છે. જુદા-જુદા પરિવારો પોતાનાં સ્વજનો નો શ્રાદ્ધ મનાવવા અહીં પહોંચે છે. […]

કોટી વૃક્ષ અભિયાન દ્વારા અપીલ વધુ વૃક્ષો વાવવા સોનેરી અવસર

કોટીવૃક્ષ અભિયાન બીદડા-કચ્છનાં શ્રી એલ.ડી. શાહનાં માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકામાં મોટાપાયે વૃક્ષારોપણનું કાર્ય થયેલ. સરકારી વહીવટી તંત્ર, સંસ્થાઓ, શાળા-કોલેજો, વિવિધ મંડળો, દરેક ગામવાસીઓ, પંચાયતો દ્વારા ઠેર-ઠેર વૃક્ષારોપણ કરાયું. પરિણામે માંડવી સમગ્ર તાલુકામાં શ્રીકાર વરસાદ થતાં સમગ્ર માંડવી તાલુકો લીલોછમ અને હરિયાળું બન્યું છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી છે. તો પશુધન માટે સુખનાં દિવસો આવ્યા […]

શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભોજન કરાવાયું હતું . વીસ શ્રાદ્ધના વીસે દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન , એકલા – અટુલા – નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન , રંક બાળકોને ભોજન , ભૂખ્યાને ભોજન , ગાયોને ઘાસચારો […]