મુન્દ્રા શહેરમાંથી અંધ વૃદ્ધ મળી આવતા જનસેવા સંસ્થાનાં શ્રી રાજભાઇ સંઘવીએ તેમને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડયા હતા. સુરદાસ અરવિંદભાઈ જોષી પોતે જામનગરનાં હોવાનું તથા ભૂલથી કચ્છમાં આવી ગયા હોવાનું તેમજ હવે ઘર મળતું નથી તેવું માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવરને જણાવ્યું હતું. માનવજ્યોતની ટીમે જામનગર જઈ તેમનું ઘર શોધવાનું શરૂ કર્યું હતું. અંધજને જે વિસ્તારોની […]
Category Archives: Activities
પશ્ચિમ બંગાળનાં બકુરા જીલ્લાનાં બમીરા ગામનો ૨૬ વર્ષિય યુવાન રાજુદાસ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો અતો-પતો ન મળતાં પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાને છ મહિનાં પહેલાં મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે રાખવામાં આવેલ. મનોચિકિત્સક ડો. […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી એકમ-ભવન ભુજ મધ્યે વિવિધ મહિલા મંડળોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કાર્યક્રમનું અધ્યક્ષ પદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટશ્રી બી.એન.પટેલ સાહેબે જયારે અતિથિવિશેષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં મીડીએટર તથા જાણીતા એડવોકેટશ્રી જી.બી.ગોર, હેલ્થ અવરનેસ ઉપર કાર્ય કરતા […]
ભુજ શહેર વાણિયાવાડ ડેલા મધ્યે આવેલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની ૪૧૪ મી વર્ષગાંઠ પ પૂ. મુનિરાજ શ્રી આર્યરત્નસાગરજી મ. સા., પ.પૂ. સા. શ્રી કીર્તિલતાશ્રીજી મ. સા.પૂ. સા.શ્રી સૌમ્યતાશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી ઋજુપ્રજ્ઞાશ્રીજી મ. સા.ની શુભ પાવન નિશ્રામાં ધાર્મિક આરાધનાઓ અને શાસ્ત્રોક્ત વિધિવિધાનો સાથે ઉજવાઈ હતી. આ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો હતો. પ્રથમ દિવસે […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તીર્થધામ નારાયણ સરોવર મધ્યે દર્શનાર્થીઓને માસ્ક વિતરણ કરવામાં આવેલ તેમજ “દો ગજ કી દૂરી માસ્ક જરૂરી”ની સમજ પણ પૂરી પાડવામાં આવેલ. પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, રાજુ જોગીએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.
કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા પાથર્યા રહેતા પરપ્રાંતિય માનસિક દિવ્યાંગોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્વર, નખત્રાણા, માંડવી, અબડાસા, લખપત, ભુજ જેવા શહેરો અને તીર્થધામોમાં રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગોની સંખ્યા નહીંવત થઈ છે. અગાઉ તીર્થ ધામોમાં પણ આવા માનસિક દિવ્યાંગો મોટી સંખ્યામાં જોવા મળતા. જે હવે જોવા પણ મળતા નથી. ભુજમાં જેમનાં સગા-સંબંધીઓ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તીર્થધામ માતાનામઢ મધ્યે દર્શનાર્થે આવતા ભાવિકોને કાપડની થેલીઓનું વિતરણ કરી પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ બંધ કરવા તથા પર્યાવરણની રક્ષા કરવા સમજ પૂરી પાડવામાં આવી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, રાજુ જોગીએ સંભાળી હતી.
આંધ્રપ્રદેશનાં વિજયનગરમ્ જિલ્લાનાં નરશીમનપેઠનો ૩૮ વર્ષિય યુવાન લક્ષ્મણ ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટક્તો અન્ય રાજ્યોમાંથી થઈ કચ્છનાં માંડવી બંદર સુધી પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે ૪ મહિના પહેલા તેને માંડવીથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવી મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. […]
વસંતપંચમી દિને ભુજ અને ભુજ વિસ્તારનાં ગામડાઓમાં લગ્નોની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. જુદી જુદી સમાજવાડીઓ, મંદિરો, પ્લોટોમાં લગ્ન પ્રસંગે ભોજન સમારંભો યોજાયા હતા. ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ લઈ જવા માનવજ્યોત સંસ્થા ભુજને ૧૬ જેટલા ફોન આવ્યા હતા. સંસ્થાના વાસણો સાથેના વાહનો વિવિધ સમાજવાડીઓમાં પહોંચ્યા હતા. ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ એકઠી કરી ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને દાતાશ્રી મંજુલાબેન મણીલાલ વોરા-રાજન ફર્નીચર ભુજ દ્વારા સિમેન્ટનાં ૩૦ બાંકડા અર્પણ કરાયા હતા. સંસ્થા વતી પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, અરવિંદ ઠક્કર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ દાતાશ્રી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.