Category Archives: Activities

ઓરિસ્સાનાં બે યુવાનો નવું વર્ષ ઘરે મનાવશે.

ઓરિસ્સા રાજ્યનાં બે યુવાનો વરૂણ અને રાજેન્દ્ર છેલ્લા પાંચ વર્ષથી ગુમ હતા. તેમનાં પરિવારજનો તેમની સતત શોધ ચલાવતા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને આ બંને યુવાનો ભુજ રેલ્વે સ્ટેશન બહારથી મળ્યા હતા. જેમને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ જઇ સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બન્યા હતા. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઓરિસ્સા પોલીસનો સંપર્ક કરી […]

ગરીબોનાં ઝુંપડે દિવાળી ઝુંપડે-ઝુંપડે મીઠાઇ વિતરણ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભુજ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ પરિવારોને અડધો કિલો મીઠાઇ તથા પા કિલો ફરસાણ સાથેનાં પેકેટોનું વિતરણ કરવામાં આવેલ. મુખ્ય દાતા રાણાભાઈ રવાભાઈ ડાંગર, કરમણભાઇ જીવાભાઇ ડાંગર, સોમનાથ મિનરલ્સ ધાણેટી દ્વારા ૪૦૦, ઉમિયા એગ્રો સેન્ટર સુરેશભાઇ દડગા દ્વારા ૧૦૦, દીપકભાઇ […]

ચેન્નઇની ત્રણ વર્ષથી ગુમ મહિલા ભુજમાંથી મળી ચેન્નઇયી પરિવારજનો ભુજ પહોંચ્યો

ચેન્નઇ (મદ્રાસ) ની ગુમ ૭૦ વર્ષિય માનસિક દિવ્યાંગ મહિલાનું ૩ વર્ષ પછી પરિવારજનો સાથે મિલન થયું હતું. ગુમ મહિલા અંગે પરિવારજનોએ લાંબા સમયથી સતત ચિંતા સેવી હતી. જુદા-જુદા રાજ્યોમાંથી થઇ રેલ્વે મારફતે આ મહિલા ભુજ પહોંચી હતી. અને પગે ચાલીને મોટા પીર ચોકડી પાસે પહોંચી હતી. ત્યાંથી અમીનભાઇ મોગલ અને જુસબભાઇ વિડાણીએ માનવજ્યોતનાં રફીક બાવાને […]

માનવજ્યોતને અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપવા દાતાશ્રીઓ દ્વારા અનુદાન આપવામાં આવેલ. સ્વ. વાસંતીબેન મનસુખભાઇ ઘીવાલા પરિવાર ભુજ દ્વારા રૂા. ૨૧ હજાર, ગઢવી સવરાજ લખમણ-મુજપુર દ્વારા રૂા. ૨૨ હજાર, વી.કે. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ દ્વારા રૂા. ૧૧ હજાર, નરેશભાઇ ખીમજી સેવાણી-નારાણપર દ્વારા રૂ. ૧૨ હજાર, વેલબાઇ શીવજી ભંડેરી-મીરઝાપર દ્વારા રૂા. […]

માનવજ્યોત દ્વારા વસ્ત્રો વિતરણ કરાયા

ભુજ અને બુજવિસ્તારમાં ખૂંગા-પાકા મકાનોમાં રહેતા અને જરૂરતમંદ પરિવારો દિવતીપર્વ આનંદ ઉલ્લાસપૂર્વક માણી શકે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા જરૂરતમંદ લોકોને કપડા વિતરણ, મહિલાઓને સાડી વિતરણ, શ્રમજીવીક બાળકોને નવા વસ્ત્રો વિતરણ તથા નવા સૂઝ વિતરણ કરાયા હતા. સંસ્થાનાં વાહન દ્વારા ભુજ શહેરની ચારે દિશામાં વિતરણ કાર્ય ચાલી […]

રવાપરમાંથી મળેલો ચેતન બન્યો જેન્ટલમેન ૨૦ વર્ષ પછી ઓરિસ્સા પોતાનાં ઘરે પહોંચશે

રવાપર ગામનાં તળાવ કાંઠે જાળીઓમાં સૂતેલા ચેતન ઉ.વ. ૪૨ ને માનવજ્યોત સંસ્થા દ્વારા, ભુજ લઇ આવી તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. બાલ-દાઢી કરાવી તેને સ્નાન કરાવી નવા વસ્રોમાં સજજ કરવામાં આવ્યો. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઓરિસ્સા પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું. તેનાં […]

નારાયણ સરોવરમાંથી મળેલો સીદખાન ૩ વર્ષ પછી ઘરે પહોંચશે

નારાયણ સરોવરમાંથી મળેલો મધ્યપ્રદેશનો રસીદખાન ઉં.વ. ૫૪ ત્રણ વર્ષ પછી મધ્યપ્રદેશ પોતાનાં પરિવાર સુધી પહોચશે. નારાયણસરોવર-કોટેશ્વર-માતાનાંમઢ ગયેલી માનવજ્યોતની ટીમને નારાયણસરોવરમાંથી થોડી માનસિક સ્થિતિ ગુમાવી બેઠેલો રસીદખાન નજરે ચડ્યો હતો. અહીં તે દરેકના કામો કરતો. બે વર્ષ નારાયણ સરોવરમાં રહ્યો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે તેની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું […]

કર્ણાટકનો ગુમ યુવાન નવ વર્ષ પછી ભુજમાંથી મળ્યો માતા-પિતાની કરૂણાતાનો અંત આવ્યો

કર્ણાટકનાં બેંગ્લોર જીલ્લાનાં કુન્ટાનહલી ગામનો ૩૦ વર્ષિય યુવાન હરીશ છેલ્લા ૯ વર્ષથી ગુમ થયો હતો. ત્યાર બાદ તે ભારતના જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. પરિવાર પારાવાર મુશ્કેલી વેઠી રહ્યો હતો. માતા-પિતા ખુબ જ ચિંતીત હતા. નવ વર્ષ બાદ ૪-૮-૨૦૨૨ નાં તે ભુજનાં જુનાં એસ.ટી. બસ સ્ટેશન […]

રવાપરમાંથી મળેલો ૪૨ વર્ષિય માનસિક દિવ્યાંગ યુવાન ચેતન ૨૦ વર્ષ પછી પોતાના ઘર સુધી પહોંચશે દિપાવલીપર્વ પરિવાર સાથે મનાવશે

નખત્રાણા તાલુકાના રવાપર ગામમાંથી મળેલો ૪૨ વર્ષિય ચેતન ૨૦ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચશે. માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્વરચી ભુજ આવી રહેલા માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરને રવાપર ગામનાં બસ સ્ટેશને ગામનાં કેટલાક જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં લાંબા સમયથી એક માનસિક દિવ્યાંગ છે તેની ભાષા સમજાતી નથી. ગામનાં તળાવ કાંઠે ઝાડીયો નંદર છૂપાઇને […]

૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે શ્રમજીવીકોને મીઠાઇ તથા કપડા વિતરણ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વનિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાં વિતરણ કરવામાં આવશે. ભુજવાસીઓ દ્વારા માનવજ્યોત સંસ્થાને […]