Category Archives: Activities

પરિવારને એક જ દિવસમાં ખુશીના બે સમાચાર મળ્યા યુ.પી.નો યુવાન ૧૨ વર્ષે ઘરે પહોંચ્યો

ઉત્તરપ્રદેશનાં મેનપુરી જીલ્લાનાં ચોરાશી ગામનો પરમાનંદ ઉર્ફે પ્રભુદયાલ ઉ.વ. ૩૮ છેલ્લા ૧૨ વર્ષથી ગુમ હતો. પરિવારમાં તેની પત્ની અને એક માત્ર પુત્ર તેને સતત શોધતા રહ્યા હતા. તેની ગેરહાજરીમાં તેનાં વિયોગમાં તેની પત્ની આખરે મૃત્યુ પામી હતી. અને પુત્રનાં લગ્ન પણ પિતાની ગેરહાજરીમાં થયા. તા. ૨૬-૧૧ નાં માતાનામઢ ગામથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને મળી આવતાં તેને […]

૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૪૪૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ છે. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન શીરીષ મહેતા વર્ધમાનનગર દ્વારા-૩, સ્વ. ભાવેશ અનીલ એમ. મહેતા વર્ધમાનનગર દ્વારા-૧ તેમજ એક હરિભક્તે જય […]

ભુજનાં ૩ જજશ્રીઓએ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી

દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે ૩ ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિકલાંગો માટે દિવ્યાંગ શબ્દથી સંબોધી તેમને ખૂબ માન- સન્માન આપ્યું છે. કેન્દ્ર-રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. માનસિક દિવ્યાંગો પણ કર્માધીન છે. માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની […]

નેપાળનો ગુમ યુવાન ૩ વર્ષ પછી ભુજમાંથી મળ્યો મોતનાં મુખમાંથી સંસ્થાએ તેને બચાવ્યો

નેપાળનો યુવાન જનક ઉ.વ. ૨૦ નેપાળથી ગુમ થયો હતો. તે બાયલબાસનાં ભક્તિપુર નેપાળનો વતની હતો. છેલ્લા ૩ વર્ષથી તે ભારતનાં જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. રેલ્વે મારફતે ભુજ આવી પહોંચ્યો હતો. ૩ વર્ષ પછી તે ભુજ પહોંચ્યો ત્યારે આ યુવાનમાં ચાલવાની શક્તિ નહોતી. તે ઉભો થવા જાય અને પડી જાય. માનવજ્યોત સંસ્થાએ તેની ગંભીર […]

આસામનો યુવાન ૬ વર્ષે ઘરે પહોંચ્યો આસામ પોલીસ ભુજ પહોંચી

આસામનો યુવાન ૬ વર્ષે ઘરે પહોંચ્યો આસામ પોલીસ ભુજ પહોંચી આસામનો યુવાન જત ભુવન ચેતીયા ઉ.વ. ૩૦ ગામ ગૌમુર છેલ્લા દ વર્ષથી ગુમ હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અને પોલીસ દફતરે ફરિયાદ દર્જ કરાવી હતી. અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તા. ૧૯-૧૦ તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનિયર પેરાલીગલ […]

રીન્યુ પાવર કુાં .દ્વારા સંસ્થાને અન્નદાન અપાયું

રીન્યુ પાવર કહ્યું કુાં. દ્વારા ભુજની માનવજ્યોતને ૧૦ બાચકા ચોખાનું અનુદાન આપવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે અન્નદાન અપાયું હતું.સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા શ્રી રમેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટીએ આભાર માનેલ

શ્રી ભાગવત સપ્તાહ નિમિત્તે માનવજ્યોતને અનુદાન અપાયું

ગો.વા. તારાબેન રમણીકલાલ કેવડીમાં સ્વ. રમણીકલાલ ગવરીશંકર કેવડીયા, સ્વ. મહેશભાઇ મણીકલાલ કેવડીયો, સ્વ. પેરીટાબેન ભુવનેશ કેવડીયાનાં મણાર્થે તેમજ સર્વ પિતૃ દેવોના મોક્ષાર્થે તથા કુમદરાય . કેવડીયાએ પોતાની જન્મદિને ભુજમાં પુષ્પસ સમાજવાડી મધ્યની ભાગવત સપ્તાહ નિમિત્તે ભુજની માનવજીત સંસ્થાને રૂા. ૧૧,૧૧૧ નું અનુદાન આપેલ. રથા વતી પ્રબોધ મુનવર, સુરેશભાઇ મહેશ્વરી, આનંદ રાયસોનીએ આભાર માને

“દેનેકો ટુકડા ભલા લેને કો હરિ નામ,,

જલારામ જયંતિએ ૭૦૦ ગરીબો ભરપેટ જમ્યા માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા પૂ. જલારામ બાપાની ૨૨૩મી જન્મજયંતિ નિમિતે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જઇ મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો. જલારામ જયંતિ પ્રસંગે જલારામ મંદિર, રવાણી ફળિયા, લોહાણા સમાજવાડી, છછ ફળીયા, લોહાણા સમાજવાડી, મિરઝાપર, નિલકંઠ નગર, મુન્દ્રા રોડ દ્વારા જરૂરતમંદ ૭૦૦ લોકો માટે તૈયાર ભોજન માનવજ્યોત સંસ્થા […]

મોરબી ઝુલતા પુલ હોનારતમાં માર્યા ગયેલાઓને અંજલિ અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવા સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને અંજલિ અર્પણ કરવામાં આવેલ. અને ખુબ જ દુઃખ વ્યક્ત કરવામાં આવેલ. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કર, રફીક બાવા, તથા સર્વે કાર્યકરોએ શોકની […]

માનસિક દિવ્યાંગોએ મનાવ્યો દિપાવલીપર્વ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં ૪૫ માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોએ દિપાવલી પર્વની આનંદ ઉમંગભેર ઉજવણી કરી હતી. કેટલાક સેવાભાવી લોકો ભુજ અને ગામડાઓમાંથી આશ્રમ સ્થળે પહોંચી માનસિક દિવ્યાંગોને મીઠાઇ અર્પણ કરી હતી. આશ્રમ સ્થળે દિપાલી પર્વ નિમિત્તે માનસિક દિવ્યાંગોએ ૪૦૦ દિવા સ્વહસ્તે પ્રગટાવ્યા હતા. સંધ્યાકાળે દરેક માનસિક દિવ્યાંગોએ ફુલઝરી પ્રગટાવી દિવાળી […]