માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભૂંગા-ઝુંપડા-કાચામકાનોમાં રહેતા તેમજ જરુરિયાતમંદ પરિવારો સુધી પહોંચી જઇ 1500 જેટલા પરિવારોને અડધો કીલોનાં મીઠાઇનાં પેકેટો તથા ફરસાણના પેકેટો અર્પણ કરાતાં આવા પરિવારો પણ દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. અને દાતાશ્રીઓને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ, રાણભાઇ રવાભાઇ ડાંગર, કરમણભાઇ જીવાભાઇ ડાંગર – […]
Category Archives: Activities
દિપાવલી પર્વ નજીક આવી રહ્યો હોઇ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારની ચારે દીશાઓમાં ભૂંગા-ઝુંપડા, કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદ લોકો સુધી કપડા પહોંચાડવાનું કાર્ય શરૂ કરાયું છે. ભુજ અને ભુજ વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં કપડા એકઠા કરવામાં આવ્યા છે. તેમજ કેરા-કચ્છના લંડન રહેતા જેન્તીભાઇ પટેલ તથા બળદીયા-કચ્છના લંડન રહેતા શાંતાબેન ગરારા દ્વારા પણ […]
દિપાવલી પર્વ હોતાં ભુજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રહેતા પરિવારો જુનાં કપડા માનવજ્યોતને ગરીબો અને જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવા આપી દે છે. આવેલ કપડામાંથી સોનાની રૂપિયા દોઢ લાખની ચેન મળી આવતાં ચેનનાં મૂળ માલિક રમેશભાઇ ઠક્કરને આ ચેન સોંપવામાં આવતાં પરિવારજનોએ માનવજ્યોત સંસ્થા ભુજનો આભાર માન્યો હતો. અગાઉ એક પરિવારનાં પતિ-પત્નીએ માનવજ્યોતને કપડા આપેલા. 10 દિવસ […]
દુર્ગાષ્ટમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિર બાળશ્રમયોગીઓને અક્ષરદાન શાળાનાં 51 બાળશ્રમયોગીઓને નવા વસ્ત્રો, ચશ્મા, મોજા, દંતિયા, પાકીટ સહિતની વસ્તુઓ દાતાશ્રી જે.કે. અંતાણી પરિવાર દ્વારા અર્પણ કરાતાં બાળશ્રમયોગીઓએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. દરેક નાના ભૂલકાઓ, બાળકો, રંક બાળકો તથા દીકરીઓએ નવરાત્રી પર્વની ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. દુર્ગાષ્ટમી દિવસે શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન મહિલા મંડળ ભુજ અને શ્રી મહાકાળી મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છનાં બહેનોએ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે રાસ-ગરબાની રમઝટ જમાવી હતી. નિત નવા વસ્ત્રોમાં તૈયાર થયેલા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો હોંશે હોંશે રાસ-ગરબા રમી નાચી-ઝુમી […]
મા દુર્ગાની નવલી નવરાત્રીની દુર્ગાષ્ટમી નિમિત્તે મુક્તિબેન રમેશભાઇ ખેતાણી, પ્રેમભાઇ રમેશભાઇ ખેતાણી અને પૂર્વ નગરપતિ અશોકભાઇ હાથી પરિવારો દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ. દુર્ગાષ્ટમીનાં પોતાને ભાવતું ભોજન જમી માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારોને અંતરના આશિર્વાદ પાઠવ્યા હતા. શ્રી પ્રબોધ મુનવરે દાતાશ્રી પરિવારોનો […]
ઓમકારેશ્વર મહિલા મંડળનાં સથવારે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ગરબે ઘૂમ્યા હતા. ઓમકારેશ્ર્વર મહિલા મંડળના પ્રમુખ કમલબેન જોશી, પ્રવિણાબેન, ભાવનાબેન, ભક્તિબેન, જીનાલીબેન તથા વિશાળ સંખ્યામાં બહેનો રાસ,ગરબામાં જોડાયા હતા. વ્યવસ્થા પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી, વાલજી કોલીએ સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માં જગદંબાની નવલી નવરાત્રીની શાનદાર ઉજવણી કરવામાં આવી. દરરોજ સાંજે 5-30 થી 7 ભુજ શહેરના વિવિધ મહિલા મંડળો સેવાશ્રમ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ગરબા રમાડ્યા. ઢોલ-શરણાઇનાં તાલે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો પણ માતાજીનાં રાસ-ગરબા હોંશે હોંશે રમે છે. એક સરખા ડ્રેસમાં સજ્જ થઇ માનસિક દિવ્યાંગો […]
પ્રાંત અને મામલતદાર (ભુજ શહેર) કચેરીએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેર મૂકવામાં આવી છે. કચેરીએ આવતા-જતા દિવ્યાંગ ભાઇ-બહેનો પોતાનાં કામો માટે કચેરીની અંદરની વિવિધ ઓફિસો કે કાઉન્ટરો સુધી પહોંચી જઇ પોતાનું કામ સરળતાથી પૂર્ણ કરી શકે તેવા ઉદેશ સાથે દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેરો મૂકવામાં આવી છે. વ્હીલચેરો પ્રાંત અને મામલતદાર […]
શ્રેષ્ઠીવર્ય, અને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની સોળમી પુણ્યતિથિએ માનવજયોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ ભાવાંજલિ અર્પણ કરી હતી. શ્રી […]









