ભુજ અને કચ્છમાં માનવસેવા, જીવદયા,પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્રે કાર્ય કરતી ભુજની બાનવજ્યોત સંસ્થાને સૂરજપરનાં દાતાશ્રી અમૃતબેન મેપાણી દ્વારા રૂપિયા દોઢ લાખનો ચેક અર્પણ કરાયો હતો.આ પ્રસંગે દાતા પરિવારશ્રી તથા લાયન્સ કલબ ભુજનાં અભય શાહ ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા આનંદ રાયસોનીએ આભાર માન્યો હતો.
Category Archives: Activities
મધ્યપ્રદેશનાં જલદર જલ્લાનાં બાંધી ગામનો યુવાન રાજમાડી ચંદ્રેશ પટેલ ઉ.વ. ૨૮ દોઢ વર્ષ પહેલાં ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો અતો-પતો નમળતાં પરિવાર નિરાશ સાથે ખૂબ જ દુ:ખી થયો હતો. અનેક રાજ્યોનાં શહેરોમાં તે સતત રખડતો-ભટકતો રહ્યો હતો. અને આખરે તે ભુજ પહોંચી પગે ચાલી નખત્રાણા સુધી પહોંચ્યો હતો. નખત્રાણાનાં […]
મહારાષ્ટ્રનાં ગોંડીયા જિલ્લાનાં ગલાટુલા ગામનો યુવાન દુલેશ ચૌધરી ઉ.વ. ૪૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી.અનેક રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં થઇ તે કચ્છ પહોંચ્યો હતો. મોટા અંગીયા પાસેથી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને મળી આવતાં તેને ભુજ લઇ આવવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા […]
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભુજ પારેશ્વર ચોકથી શરૂ થયેલ શોભાયાત્રામાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં રથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. કેસરીયા રંગના ડ્રેસમાં સજ્જ માનસિક દિવ્યાંગોએ રવાડીમાં ૨થમાં કેશરી ઝંડા સાથે ભગવાન શ્રી શંકર શંભુ ભોલેનાથની જયજયકાર બોલાવી હતી. શોભાયાત્રા માર્ગે લોકો માનસિક દિવ્યાંગોનું રથ જોવા થોભી ગયા હતા અને મોબાઇલથી […]
બિહાર રાજ્યનાં બેગુસરાપ વિસ્તારનાં તઘડા ગામનો યુવાન અરમાન ખલીલ ઉ.વ. ૨૦ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો કોઇ અતો-પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. ભારતનાં વિવિધ રાજ્યોમાંથી રખડતો ભટકતો આખરે તે મોરબીનાં યદુનંદન આશ્રમે પહોંચ્યો હતો. સંસ્થાનાં સંચાલકોએ તેની સારી સારવાર સાથે સેવા કરી હતી. પણ તેનું ઘર શોધવાનું […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સર્વે કાર્યકરોની એક બેઠક સેવાશ્રમનાં મુખ્ય દાતાશ્રી મહેન્દ્રભાઇ સંગોઇનાં અધ્યક્ષ પદે યોજાઇ હતી. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. સમગ્ર ભુજ અને ભુજ વિસ્તાર તથા કચ્છભરમાં સંસ્થા દ્વારા ૪૯ પ્રવૃત્તિઓ ચાલે છે. પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અને પ્રવૃત્તિઓ જરૂરતમંદોને ખૂબ જ ઉપયોગી બની […]
ઓરિસ્સા રાજ્યનાં મયુરભંજ જીલ્લાનો યુવાન ચેતન ઉ.વ. ૨૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાતી હતી. તે દેશનાં જુદા-જુદા રાજ્યોનાં અનેક શહેરો- ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. છ મહિનાં પહેલાં તે કચ્છનાં રવાપર ગામ સુધી પહોંચ્યો હતો અને બસ સ્ટેશન તથા તળાવ કિનારાને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હતું. રવાપરનાં બસ સ્ટેશન વિસ્તારને સાફ-સફાઇ દ્વારા ચકચક્તિ રાખતો. […]
રીજેન્ટા રીસોર્ટ ભુજ દ્વારા ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિન તથ્ય ભુકંપની વરસી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને હોટેલનું તાજું ખાણું પીરસવામાં આવેલ. દિવ્યાંગોને સંચાલકોએ સ્વહસ્તે ભોજન કરાવેલ. હોટેલનું ભોજન જમી માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. આ અનોખી પહેલને માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે બિરદાવી હતી. હોટેલનાં જનરલ મેનેજર પપુ ભારથી, […]
ભારત દેશનો ૭૪ મો ગણતંત્ર દિવસ તથા કચ્છના વિનાશકારી ભૂકંપની ૨૨ મી વરસી નિમિત્તે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૪૨ માનસિક દિવ્યાંગો તથા એકલા-અટુલા નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોને ગરમ સાલોનું વિતરણ મહંત સ્વામિ શ્રી ધર્મવત્સલદાસ સ્વામી, શ્રી સત્યદર્શનદાસ સ્વામિ, શ્રી વિવેકભૂષણદાસ […]
ભુજ અને ભુજ વિસ્તારમાં રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય અપાયું છે. ભુજ રાજેન્દ્ર પાર્ક નજીકથી મળી આવેલા ઠંડીમાં ઠુંઠવાતા માનસિક દિવ્યાંગને આશ્રમ સ્થળે લઇ જવામાં આવ્યો હતો. કચ્છભરમાંથી આશ્રમ સ્થળે ૩૩માનસિક દિવ્યાંગોને આશ્રય અપાયો છે. તેમનાં રહેવા જમવાની વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાએ […]