પદયાત્રિકો માટેનાં કેમ્પોનું વધી પડેલું રાશન મિષ્ટાન-ફરસાણ માનસિક દિવ્યાંગો માટે અપાયા

માતાનામઢ જતા પદયાત્રિકો માટે દરેક વ્યવસ્થાઓ સાથેનાં કેમ્પોએ પદયાત્રિકોની સુંદર સેવાઓ કરી હતી. વર્ધમાનનગર પાસેનાં થરપારકર લોહાણા યુવક મંડળ ગાંધીધામ તથા રવાપર પાસેનાં મા આશાપુરા મિત્ર મંડળ નવીનાળ કેમ્પનાં સંચાલકોએ વધી પડેલો મિષ્ટાન, ફરસાણ, રાશન, મસાલા, તેલ, લોટ તથા અન્ય સામગ્રી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં રોજિંદા ભોજન માટે આપી માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ બંને કેમ્પોનાં સંચાલકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.