ભુજ કબીર મંદિર મહંતશ્રીનેજન્મદિને શુભેચ્છાઓ પાઠવાઇ

ભુજ કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજી સાહેબે પોતાનાં જીવનની 78 વર્ષની મંજિલ કાપી 79 માં વર્ષમાં પ્રવેશ કરતા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવાઇ હતી.

માનવજ્યોત સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, સહદેવસિંહ જાડેજાએ ભુજ કબીર મંદિર મધ્યે તેઓને શાલ,હાર, નાળિયેર અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. માનવજ્યોતની પ્રવૃત્તિઓમાં ભુજ કબીર મંદિર અને મહંત શ્રી કિશોરદાસજી સાહેબનો હરહંમેશ સાથ સહકાર મળ્યો છે. દર પૂનમના ભુજ કબીર મંદિર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગો તથા એકલા-અટુલા નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન આપવાનું કાર્ય છેલ્લા 18 વર્ષથી કબીર મંદિર ભુજ દ્વારા કરવામાં આવે છે. તેમજ ભુજમાં માનવજ્યોત સંસ્થાના પ્રારંભે દિપપ્રાગટ્ય ભુજ કબીર મંદિરના પૂજ્ય મહંત શ્રી કિશોરદાસજી સાહેબ તથા આર્ષ ધ્યન કેન્દ્ર માધાપરના પૂજ્ય પ્રદિપ્તાનંદ સરસ્વતી સ્વામીના વરદ્ હસ્તે કરવામાં આવેલ. આ જ્યોત આજે પણ વધુને વધુ પ્રજ્જવલિત થઇ રહી છે.