Author Archives: Admin Manavjyot

આઠમનાં વધી પડેલ મહાપ્રસાદમાંથી ૩ હજાર ગરીબો ભરપેટ જમ્યા

આસો સુદ આઠમ નવરાત્રિ નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક મંદિરોમાં ધાર્મિક-કાર્યક્રમો બાદ મહાપ્રસાદ યોજાયો હતો. માનવજ્યોત સંસ્થા ભુજને વધી પડેલો મહાપ્રસાદ લઇ જવા ૨૩ મંદિરો-સમાજવાડીઓમાંથી ફોન આવ્યા હતા. સંસ્થાએ વધી પડેલો પ્રસાદ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતા ૩ હજાર જેટલા ગરીબોએ પણ માતાજીનો મહાપ્રસાદ લીધો હતો અને ખુશી અનુભવી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, […]

છેલ્લા શ્રાદ્ધે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા ૧૭ પરિવારો આશ્રમ સુધી પહોંચ્યા

ભાદરવાવીદ અમાસનાં દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વર્ગસ્થ સ્વજનોનાં શ્રાદ્ધ નિમિત્તે સ્વહસ્તે ભોજન કરાવવા ૧૭ પરિવારો આશ્રમ સુધી પહોંચ્યા હતા. પ્રારંભે જમનાદાસભાઇ માંડલે ધુન બોલાવી હતી. પોતાનાં સ્વર્ગસ્થની યાદમાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફરસાણ સાથેનું ભોજન જમાડીએ પુણ્યાત્માઓનાં આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. અને ધન્યતા અનુભવી હતી. અમાસનાં દિવસે […]

પદયાત્રિકો માટેનાં કેમ્પોનું વધી પડેલું રાશન મિષ્ટાન-ફરસાણ માનસિક દિવ્યાંગો માટે અપાયા

માતાનામઢ જતા પદયાત્રિકો માટે દરેક વ્યવસ્થાઓ સાથેનાં કેમ્પોએ પદયાત્રિકોની સુંદર સેવાઓ કરી હતી. વર્ધમાનનગર પાસેનાં થરપારકર લોહાણા યુવક મંડળ ગાંધીધામ તથા રવાપર પાસેનાં મા આશાપુરા મિત્ર મંડળ નવીનાળ કેમ્પનાં સંચાલકોએ વધી પડેલો મિષ્ટાન, ફરસાણ, રાશન, મસાલા, તેલ, લોટ તથા અન્ય સામગ્રી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં રોજિંદા ભોજન માટે […]

બાળશ્રમયોગીને અલ્પાહાર સાથે શૈક્ષણિક કીટ અપાઇ

ઇન્ટરેકટ કલબ ઓફ શેઠ વી.ડી. હાઇસ્કુલ ભુજ સ્પોન્સર રોટરી કલબ ઓફ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં બાળશ્રમયોગીઓને અલ્પાહાર,ચોકલેકટ, બિસ્કીટ સાથે લંચ બોક્ષ અને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. પ્રારંભે સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે બાળશ્રમયોગી શાળા વિષે માહિતી આપી હતી. ઉર્મિલભાઇ હાથી, પરાગભાઇ ઠક્કર, જયશ્રીબેન ગોર તથા કલબનાં આસુતોષ શાહ, આદિત્ય સુથાર, […]

ભુજમાંથી મળેલા બિહારનાં યુવાનનું ૧૦ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

બિહાર રાજ્યનાં જમુ જિલ્લાનાં ડુમરી તાલુકાનાં રાજપુર ગામનો યુવાન મોરારી મંડલ ૧૦ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે અને પરિવારજનો સાથે ફેરમિલન થયું છે. આ યુવાનની પરિવારજનો સતત શોધ ચલાવી રહ્યા હતા. પણ કયાં પણ તેનો અતો પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં પ્રારંભે સિનિયર […]

માત્ર ગાય માતાનું દૂધ પીને નહીં, પણ તેનાં દુઃખનાં આંસુ લુછીને તેને બચાવીએ…

દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણને બચાવવા સંકલ્પ કર્યો છે. ત્યારે આપણે સૌ આ દિશામાં જાગૃત બનીએ. સમગ્ર કચ્છમાં પ્લાસ્ટીક થેલી-ઝબલાનું દુષણ દૂર કરવા અનેક સંસ્થાઓ સક્રિય બની કાર્ય કરી રહી છે. પણ જ્યાં સુધી ઉત્પાદન બંધ નથાય ત્યાં સુધી દુષણ દૂર થવું કઠીન છે. પ્લાસ્ટીકનાં થેલીઓ અને ઝબલાનું જ્યાંં […]

શ્રાદ્ધ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને સ્વ હસ્તે ભોજન જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન […]

નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ પદે નિમણુંક થતાં સન્માન કરાયું

તીર્થધામ નારાયણ સરોવર જાગીરનાં અધ્યક્ષ પદે સરકાર શ્રી દ્વારા નવા ગાદીપતિ તરીકે બ્રહ્મચારિણી સુ. શ્રી સોનલબેન દિનેશભાઇ જાષી (પાણિયા) ની નિમણુંક થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી પ્રબોધ મુનવરે તેઓશ્રીનું સન્માન કરી અનેકવિધ શુભેચ્છા પાઠવી હતી.

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રક્ષાબંધનની ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે જૈન સોશ્યલ ગ્રુપ- ભુજ (મેઇન) દ્વારા રક્ષાબંધન નિમિત્તે માનસિક દિવ્યાંગોને બપોરનું મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડી ઉજવણી કરવામાં આવેલ. વિવિધ સમાજની બહેનો આશ્રમે પહોંચી માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ગ્રુપનાં પ્રમુખ ચન્દ્રકાન્ત મહેતા, મંત્રી ધનસુખલાલ દોશી, વસંતભાઇ ભાભેરા, જયેશભાઇ શાહ, નાનાલાલભાઇ સંઘવી, લલીતભાઇ મહેતા […]

શ્રાવણ માસ નિમિત્તે અનેક ભક્તજનો ધર્મ આરાધના સાથે માનવસેવાનું કાર્ય કરી રહ્યા છે

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દાન-ધર્મમાં માનનારા ભક્તો આખો શ્રાવણ મહિનો રાખી, એકટાણા કરી, ભોલેનાથની પૂજા, અર્ચના કરી પોતાના જીવનને ધન્ય બનાવતા હોય છે. ભક્તજનો જુદા-જુદા મંદિરોનાં દર્શન પહોંચે છે. અને ભગવાન શિવશંકરના ચરણે શિશ ઝુકાવી ભÂક્ત ભાવથી પૂજા-દર્શન કરે છે. સાથે સાથે માનવસેવાનું કાર્ય કરી દાન પૂન કરી માનવતાનાં કાર્યને મહેકાવતા રહે છે. […]