Author Archives: Admin Manavjyot

માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરને યુગાન્તર-૨૦૨૦ એવોર્ડ અર્પણ કરાયો

મહારાજા સહ્યાજીરાવ યુનિવર્સીટી ઓફ બોર્ડ દ્વારા નેશનલ યુથ કોન્ફરન્સ મહારાજા સહ્યાજીરાવ યુનિવર્સીટી વડોદરા મધ્યે યોજાઇ હતી. ત્રિદિવસીય કોન્ફરન્સમાં રાજ્યસભાનાં સભ્ય ડો. વિનય સહસરાબુદ્ધે, નેશનલ ઉર્દુ યુનિવર્સીટીનાં પૂર્વ ચાન્સલર જાફર સરેસવાલા, ડો. અજય રણકા, કેરાલાનાં રાજ્યપાલ શ્રી આરીફ મોહમદખાન, ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી શ્રી રામમાધવ, સુપ્રિમ કોર્ટના એડવોકેટ શ્રી જે. સાંઇ દિપક, શ્રી ગુરૂપ્રકાશ, શ્રી સુદર્શન […]

જન સેવા કરીએ તો જ પ્રભુ સેવા કરી કહેવાય ૨૬ દિવ્યાંગોએ સ્વસ્થ બની ઘર તરફ કર્યું પ્રયાણ

કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેને સારી સારવાર આપી તેનું રાજ્ય, શહેર, ગામ શોધી આપી તેમને ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે વર્ષો પછી પરિવારજનો સાથે તેમનું મિલન થતું હોય છે. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ, મહારાષ્ટ્રનાં કર્જતની શ્રદ્ધા રીબીલીટીસન […]

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં ૨૦ વિદ્યાર્થીઓએ ભુજમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી

ગુજરાતની વિવિધ યુનિવર્સીટીઓ, શાળા, કોલેજાનાં વિદ્યાર્થી ભાઇ-બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માનવજ્યોત સંસ્થા ભુજમાં રહીને મેળવે છે. તેઓને ૩૦ થી ૪૫ દિવસની ટ્રેનીંગ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં ૧૩૪ વિદ્યાર્થી ભાઇ- બહેનોએ માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે રહી વિવિધ પ્રવૃત્તિઓમાં જાડાઇ સામાજિક કાર્યકર તરીકેનો અનુભવ અને ટ્રેનીંગ મેળવી હતી અને કાઉન્સલીંગ […]

ભુજ-પાલારા માર્ગે ૪ મહિનાંની જીવીત બાળકી મળી આવી

ભુજથી પાલારા માર્ગે સનદાદા રોડનાં ખૂણે સિમેન્ટની તકતી પાછળની ઝાડીમાંથી એક ચાર માસની જીવીત બાળકી મળી આવી હતી. દરરોજ સવાર-સાંજ પાલારા શ્રી રામદેવ સેવાશ્રમ જઇ રહેલા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર તથા વાહન ચાલક ઇરફાન લાખાએ વાહનમાંથી સનદાદા માર્ગે ખૂણામાં ઝાડી નીચે કપડું ઉડતું જાયું અને કોઇક બાળક રડતું હોય તેવો અવાજ સાંભળી તુરત જ ગાડી […]

વધી પડેલા ૩૦૦ કિલો ઉધીયાનો ૩ હજાર ગરીબોએ સ્વાદ માણ્યો

મકરસક્રાંતિ પર્વ નિમિત્તે જુદી-જુદી સોસાયટી, ફળિયા, શેરી અને સંસ્થાઓમાં ધાબા ઉપર બપોરનાં ભોજન યોજાયા હતા. જેમાં વધી પડેલો ૩૦૦ કિલો ઉધીયું તથા મુઠીયા, ખાંડવી વિગેરે માનવજ્યોત સંસ્થાએ એકઠું કરી ગરીબોનાં ઝુંપડે વિતરણ કરતાં ૩ હજાર ગરીબોએ ઉધીંયાનો સ્વાદ માણી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. એમનાં નાના ભૂલકાઓએ પણ આનંદ માણ્યો હતો. કેટલાક યુવકો-યુવતીઓએ વધી પડેલ […]

માનસિક દિવ્યાંગો સાથે રહી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી. પવિત્ર મકરસંક્રાંતિ પર્વે દાન-પૂન કરવાનાં ભાવ સાથે અનેક પુણ્યશાળીઓ માનસિક દિવ્યાંગોનાં પાલારા મધ્યે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચ્યા હતા. આશ્રમે સવારથી જ પુણ્યશાળી આત્માઓ અહીં ઉમટી પડ્યા હતા. માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો , ખાવા- પીવાની વસ્તુઓનું સ્વહસ્તે વિતરણ કરી પૂણ્યનું […]

માવઠા અને ઠંડીથી થરથરતા લોકોને બિસ્તર વિતરણ કરાયા

ભુજમાં અચાનક માવઠું થતાં વરસાદ અને ઠંડી વચ્ચે ઝુંપડા અને ભૂંગામાં રહેતા લોકોને માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા બિસ્તર વિતરણ કરવામાં આવ્યા હતા. ઓઢવા-પાથરવાની ગરમ જરૂરી વસ્તુઓ પ્રાપ્ત થતાં આવા પરિવારોને પણ ઠંડી સામે રક્ષણ મળતા અનેક પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી.વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, સલીમ લોટા, વિક્રમ રાઠીએ […]

કચ્છમાં ૮૦ સાર્ધમિક પરિવારોને રાશન સામગ્રી અર્પણ કરાઇ

શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ-મુંબઇ દ્વારા દાતાશ્રી શ્રીમતિ ભારતીબેન ભાગચંદ દામજી જૈન ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇનાં સહયોગથી ગ્રુપ અધ્યક્ષ જયેશ જૈન, ઉપાધ્યક્ષ ગોવિંદજી પટેલ તથા ઉપાધ્યક્ષ પ્રવિણ લોડાયાના માર્ગદર્શન હેઠળ કચ્છમાં અબડાસા,ગાંધીધામ, મુન્દ્રા, માંડવી વિસ્તારોમાં રહેતા સમાજનાં ૮૦ સાર્ધમિક પરિવારોને ૨૧ વસ્તુઓ સાથેની રાશન સામગ્રી ઘરો ઘર જઇ હાથો હાથ અર્પણ કરવામાં આવેલ. દરેક જિનાલયોમાં ઉપકરણોની […]

સાંસદશ્રીએ સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ગરમ વસ્ત્રો પહેરાવ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને ગરમ વસ્ત્રો સ્વહસ્તે પહેરાવી કચ્છ અને મોરબી વિસ્તારનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ તેમને ઠંડી સામે રક્ષણ અપાવ્યું હતું. આશ્રમની મુલાકાતે આવેલા સાંસદશ્રી ને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રમેશભાઇ માહેશ્વરીએ આવકાર આપ્યો હતો. સાંસદશ્રીએ સંસ્થાની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. […]

મકરસક્રાંતિ પર્વે વિવિધ સેવા કાર્યો હાથ ધરાશે

મકરસક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે. એકલા અટુલા- નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવશે. ઝુંપડાઓમાં જઇ ગરીબોને ભોજન અપાશે. રંક બાળકોને તથા બાળશ્રમયોગીઓને ભોજન જમાડાશે. પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, ગાયોને […]