Author Archives: Admin Manavjyot

માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવતા શ્રી ગીતાબેન રબારી

કચ્છમાં કોરોનાં સંકટમાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ લોકડાઉન વચ્ચે જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી. ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞમાં અત્યાર સુધીમાં ૧,૨૧,૪૯૧ લોકોને ભોજન કરાવાયું. લોકપ્રિય ગાયિકા શ્રી ગીતાબેન રબારીને માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં થયેલી પ્રવૃત્તિઓની બુકલેટ અર્પણ કરતાં, તેઓશ્રીએ ખુશી વ્યક્ત કરી, […]

અમદાવાદમાં ભુજનો યુવાન ડોકટર બન્યો કોરોના વોરિયર્સ

ગુજરાતનાં અમદાવાદમાં કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે ભુજનાં જૈન પરિવારનો યુવાન દીકરો અમદાવાદની એસ.વી.પી. હોસ્પીટલમાં રાત-દિવસ ખડેપગે પોતાની સેવાઓ આપી રહેલ છે. ભુજનાં ભાવેશ્વરનગરમાં આવેલ ૨ મુક્ત નિલય, કેશવધામ એપાર્ટમેન્ટની સામે રહેતા ડો. નૈનેશ રમેશભાઇ શાહ લાંબા સમયથી અમદાવાદમાં પોતાની ફરજ બજાવી રહેલ છે. ડો. નૈનેશ થર્ડયર એમ.ડી. મેડીશિયનમાં રેસિડેન્ટ ડોકટર તરીકે […]

માનવજ્યોતને ૫૧ હજારનું અનુદાન આપી જન્મદિનની કરી અનોખી ઉજવણી

દિપાબેન આનંદભાઇ શાહે પોતાનાં જન્મદિને ભુજની માનવજ્યોત સંસ્થાને રૂ. ૫૧ હજારનો ચેક અર્પણ કરી સંસ્થાની માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્ત પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ અવસરે ઇન્હરવ્હીલ કલબ ભુજ ફલેમિંગોનાં સભ્યો સાથે રહ્યા હતા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓથી ખુશી અનુભવી હતી. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ આભાર […]

પાન-બીડી-સિગરેટ-ગુટકા-માવામાંથી વ્યસન મુક્ત કરાવાયા

કોટી વૃક્ષ અભિયાન બિદડા તથા માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રયત્નોથી લોકડાઉન દરમ્યાન પાન-બીડી- સિગારેટ-ગુટકા-માવાનાં બાંધાણી એવા ૭૧ લોકોને રોજિંદા વ્યસનમાંથી મુક્ત કરાવાયા હતા. એમને આઠ દિવસ સુધી ઝુંડુ કંપનીની આયુર્વેદીક ખદીરાદી ગુટીકા ચુસવા આપ્યા બાદ તેઓ વ્યસનમાંથી મુક્ત થયા હતા. યુવાનો સાથે બંધાણીઓને પણ માનવજ્યોત સંસ્થાએ સમજપૂરી પાડી વ્યસન મુક્ત કરાવ્યા હતા. શ્રી એલ.ડી. શાહ, પ્રબોધ […]

કચ્છમાં કોરોના સંકટમાં માનવજ્યોત ભુજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ લોકડાઉન વચ્ચે જરૂરતમંદ લોકો સુધી પહોંચી અત્યાર સુધીમાં ૧,૨૧,૪૯૧ લોકોને ભોજન કરાવાયું

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ, ભુજની જનરલ હોસ્પીટલ બહારે લોકોને અનેક ઔષધિઓ થી ભરપૂર ગરમ ઉકાળો પીવડાવવાનાં કાર્યનો પ્રારંભ થયો. માત્ર ૧૧ દિવસમાં ભુજનાં જુદા- જુદા ૪૦ વિસ્તારોમાં જઇ ૨૦૬૭૮ લોકોને આ કોરોના મહામારી સંકટથી બચાવવા અને રોગ પ્રતિકાર શક્ત વધારવા અનેક ઔષધિઓથી ભરપૂર ગરમ તૈયાર ઉકાળો પીવડાવવામાં આવ્યો. વ્યવસ્થા […]

લોકડાઉનમાં ધાણેટી જી.આર.ડી.ની અનોખી સેવા ૫૦૦ જણાની ખીર-પૂરી બનાવી ભૂખ્યાને ભોજન કરાવ્યું

લોકડાઉનમાં ભુજ તાલુકાનાં ધાણેટી ગામના (જી.આર.ડી.) ગ્રામ રક્ષક દળનાં બહેનો દ્વારા ૫૦૦ જણાની ખીર-પૂરી-શાક તાજી-ગરમ-તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં સંસ્થાએ ભુજ વિસ્તારમાં જરૂરતમંદ લોકો સુધી આ રસોઇ પહોંચાડતા ભૂખ્યા લોકો ભરપેટ જમ્યા હતા. જી.આર.ડી. નાં બહેનોએ ગામવાસીઓના સાથ અને સહકારથી મોઢા ઉપર માસ્ક બાંધી ડીસ્ટન્સ જાળવી આ રસોઇ તૈયાર કરી હતી. વિતરણ વ્યવસ્થા […]

અટલનગર-ચપરેટી ગામનું સેવાયજ્ઞ

અટલનગર-ચપરેડી ગામવાસીઓ દરરોજ ૩૦૦ જણાની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. લોકડાઉનમાં આ રસોઇ જરૂરતમંદ લોકો સુધી પહોંચે છે. જેથી અનેક ભૂખ્યા લોકોનાં પેટનો ખાડો પૂરાય છે. અટલનગર-ચપરેડી સર્વે ગામવાસીઓ તથા અટલનગર યુવા સર્કલ તથા સર્વે ભાઇ-બહેનો સેવાયજ્ઞમાં જાડાયા છે. આ તૈયાર રસોઇ માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદરાયસોની, રફીક બાવા, દિપેશ ભાટિયા, નીરવ મોતા […]

જરૂરતમંદોનાં વિસ્તારોમાં જઇ સાડી તથા વસ્ત્રો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના મહામારી સંકટમાં જરૂરતમંદોને સાડી તથા વસ્ત્રો વિતરણ કરાયા હતા. આવા સમયમાં લોકોને આ કપડા બહુ ઉપયોગી બન્યા હતા. શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદો સુધી સાડી, વસ્ત્રો પહોંચતા કરાયા હતા. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોનીએ સહકાર આપ્યો હતો.

જન્મદિને અને પુણ્યતિથિએ ભૂખ્યાને ભોજન કરાવાયું

જન્મદિને અને પુણ્યતિથિએભૂખ્યાજય નીલ ભટ્ટે પોતાનો જન્મદિવસ, કોરોના મહામારી સંકટમાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧૦૦ ભૂખ્યા લોકોને ભોજન કરાવીને મનાવ્યો હતો. તૈયાર રસોઇ બનાવી માનવજ્યોતને આપતાં ભૂખ્યા સુધી ભોજન પહોંચ્યું હતું. હબાયનાં નંદકિશોરભાઇએ પોતાનાં પિતાશ્રી સ્વ. માવજી રાણા કેરાસિયાની પુણ્યતિથિ નિમિત્તે કોરોના મહામારી સંકટમાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧૦૦ ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું. તૈયાર રસોઇ બનાવી […]

માનવજ્યોતને ૧ લાખનું અનુદાન અપાયું

કોરોના મહામારી સંકટમાં લોકોને ઉપયોગી થનાર અને ભુજ વિસ્તારમાં દરરોજ ૨૫૦૦ ભૂખ્યા લોકોને તેમનાં ઘર સુધી જઇ ભોજન કરાવનાર અને ૧૬ વર્ષથી ભુજ અને ભુજ વિસ્તારમાં માનવસેવા, જીવદયા તથા પર્યાવરણ લક્ષી અને વ્યસનમુક્ત અભિયાન જેવી પ્રવૃત્તિ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી ખુશ થઇ શ્રી ભગુભા જુવાનસિંહ વાઘેલા પરિવાર, અશોકસિંહ બી.વાઘેલા, પ્રદિપસિંહ બી. વાઘેલા તથા […]