Author Archives: Admin Manavjyot

૩૬ વિધવા મહિલાઓને રાશન કીટ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી વસીમભાઇ હનીફભાઇ ખત્રી ભુજનાં સહયોગથી ૩૬ વિધવા મહિલાઓને રાશન કીટ અર્પણ કરાઇ હતી. માનવજ્યોત કાર્યાલયે દરેક બહેનોને સેનીટાઇઝરથી હાથ સાફ કરાવી દરેકને માસ્ક આપવામાં આવેલ. સોશ્યલ ડીસ્ટન્સ જાળવી દાતાશ્રી વસીમભાઇ ખત્રી તથા હનીફભાઇ ખત્રીનાં વરદ્‌ હસ્તે આ મહિલાઓને રાશન કીટ અર્પણ કરાતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. સખી સહેલી […]

મહાકાલેશ્વર ગ્રુપ-ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ

મહાકાલેશ્વર સેવા ગ્રુપ- રઘવુંશીનગર ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઇ રહી છે. ગ્રુપ દ્વારા દર મહિને બે વખત માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવે છે. માનસિક દિવ્યાંગોને વસ્ત્રો પણ અર્પણ કરાય છે. ગ્રુપનાં અશોક ઠક્કર, કિરણ ઠક્કર, ગોપાલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, વિશાલ જાષી, મોહનલાલ પિત્રોડા, કિશન પિત્રોડા, સાગર […]

સંસ્થા દ્વારા ૮૦ દિવસમાં ૧,૨૭,૯૭૮ જરૂરતમંદ લોકોને ભોજન કરાવાયું ૪ લોકડાઉન અને પાંચમાં અનલોકમાં સંસ્થાની પ્રવૃત્તિઓ સક્રિય અનેકોનાં પેટનો ખાડો પૂરાય છે

કોરોના સંકટનાં કારણે ઉભી થયેલી પરિસ્થતિમાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂખ્યાને ભોજન કરાવવાની પ્રવૃત્તિમાં ૮૦ દિવસમાં ૧,૨૭,૯૭૮ જરૂરતમંદોને તેમનાં ભૂંગા-ઝુંપડાઓ સુધી જઇ ભોજન કરાવવામાં આવ્યું છે. દરરોજ ૭૯ વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. દર્દીઓની સારવાર અર્થે જુદી- જુદી હોસ્પીટલોમાં પહોંચેલા દર્દીઓનાં […]

માનવજ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના સામેની લડાઇમાં પર્યાવરણને બચાવવા લોક જાગૃતિરૂપે રામદેવ સેવાશ્રમ તથા માધાપર-ભુજાડી માર્ગ ઉપર વૃક્ષારોપણ કરાયું હતું. કૂંડા-ચકલીઘર-ચણ થાળી, શ્વાનો માટે પાણી પીવાની કુંડી, ગાય માતાઓ માટે પાણી પીવાની કુંડી તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ. […]

ઉનાળાનાં બળ-બળતા તાપમાં બાળકોને નવા પગરખા અપાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા જે બાળકોનાં પગમાં પગરખા નથી તેવા ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારોનાં બાળકોને બળ- બળતા તાપમાં નવા પગરખા અપાયા હતા. અને સખત ગરમી અને ગરમ તાપ સામે રક્ષણ અપાયું હતું. જુદા-જુદા વિસ્તારોમાં જઇ શોધી-શોધી પગરખા વિહોણા બાળકોને નવા પગરખા પહેરાવાયા હતા. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક […]

માનવજ્યોત દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી મળે, તેમજ ચકલીઓને રહેવા ઘર મળે તેવા ઉદ્‌શ સાથે માટીનાં કુંડાઓને ચકલીઘરોનું વિતરણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મંદિરો, જાહેર સ્થળો એ આવા કુંડા અને ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. ભુજ વિસ્તારમાં ૪૦ મંદિરોમાં જઇ પ્રાંગણમાં કુંડા-ચકલીઘરો લટકાવાયા છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, […]

માનવજ્યોત દ્વારા જરૂરતમંદ ૨૦૦ પરિવારોનાં ઝુંપડે જઇ માટલા અપાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા, ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ગરીબોનાં ઝુંપડે જઇ ૨૦૦ પરિવારોને ઠંડાપાણીનાં માટલા વિતરણ કરવામાં આવ્યા હતા. ભુજ શહેરનાં કેમ્પ વિસ્તારનાં સાંઇબાબા મંદિર નજીક સોશીયલ ડીસ્ટન્સનું પાલન કરી જરૂરતમંદ પરિવારોને માટીનાં માટલા વિતરણ કરાયા હતા. સાથે સાથે દરેકને માસ્ક આપી માસ્ક ફરજિયાત પહેરવા સમજ અપાઇ હતી. […]

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા કોરોના યોદ્ધાઓને સન્માનિત કરાયા

પૂરા દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ની વૈશ્વિક મહામારીની સામે પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વિના રાષ્ટ્રહિત માટે સેવા, યોગદાન, સમય આપી, સામાન્ય જનમાનસનાં હિત માટે રાષ્ટ્ર સેવામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી. સિંહ બધેલ દ્વારા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને સન્માનપત્ર અર્પણ કરાયો હતો. તેમની કોરોના યોદ્ધા […]

ભુજની વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓનાં સગાઓને ભોજન પહોંચાડાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા છેલ્લા ૩ મહિનાથી ભુજની જુદી-જુદી હોસ્પીટલોમાં દર્દીઓની સારવાર અર્થે આવેલા તેમનાં સગા-સબંધીઓ-સ્નેહીઓને તેમની જરૂરિયાત મુજબ દરરોજ બપોરે-સાંજ બે ટાઇમ હોસ્પીટલોમાં જ્યાં દર્દીની સારવાર ચાલી રહી હોય તે હોસ્પીટલ સુધી ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે. અત્યાર સુધી ૩૨૦૦ જેટલા દર્દીઓનાં સગા-સબંધીઓને નિઃશુલ્ક ભોજન ટીફીનો-ફુડપેકેટો દ્વારા પહોંચતા કરાયા […]

માનવજ્યોતને ૧ લાખનું અનુદાન અપાયું

એક શ્રીમંત દાતાશ્રીએ રાજ્યનાં મંત્રી શ્રી વાસણભાઇ આહિરને એક લાખ રૂપિયાનો ચેક આપી કહ્યું કે, આ કોરોના મહામારીમાં આપને યોગ્ય લાગે ત્યાં આ એક લાખનું દાન આપનાં હસ્તે કરજા. ગાંધીધામનાં શ્રી ડોલત ચાંદનાની (ભોલાભાઇ), જીવ સેવા સમિતિ ગાંધીધામ દ્વારા કોરોના મહામારીમાં જરૂરતમંદ લોકો સુધી પહોંચી જઇ ભૂખ્યાને ભોજન કરાવનાર તથા માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન […]