Author Archives: Admin Manavjyot

માનવજ્યોત સંસ્થા દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ તથા કોટી વૃક્ષ અભિયાન-બિદડા દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હિતેન ધોળકિયા સ્કુલથી માધાપર પોલીસ સ્ટેશન માર્ગે ૩૦૦ વૃક્ષો વાવી વૃક્ષોને રક્ષાબાંધી વધુને વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સંસ્થાનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની તથા સર્વે કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાઇ લોકોને વધુમાં વધુ […]

પિતા-પુત્રીને ભુજમાં મદદરૂપ બન્યા પત્રકાર અને સંસ્થા પુત્રી કોરોના પોઝીટીવ-પિતા કોરોના નેગેટીવ

બિહારના પટનાથી આવેલા દિવ્યાંગ સરદારજી કુલદીપસિંહ રાઠોડને એક પગે પોલીયો છે. બીજા પગે પ્લેટ બેસાડાયેલી છે. કેલીફેર સારવાર માટે પોતાની ૧૬ વર્ષની દીકરી ટીના સાથે ભુજ પહોંચ્યા હતા. બસ સ્ટેશન વિસ્તારમાં ૩ દિવસ વિતાવ્યા. લોકડાઉન અને અનલોક પરિસ્થિતિમાં મુંઝાઈ ગયેલા સરદારજીએ વિચાર્યું કે, હવે જવું તો પણ ક્યાં જવું? આવી કપરી અને મુશ્કેલ પરિસ્થિતિમાં કોણ […]

માનસિક દિવ્યાંગોને માસ્ક અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વ. સતુભા વેશલજી રાઠોડપરિવાર દ્વારા દરેકને માસ્કપહેરાવવામાં આવેલ. તેમજ દરેકને ભોજન જમાડવામાં આવેલ. આ પ્રસંગે નટુભા સતુભા રાઠોડ, નયનભાઈ શુકલ તથા મિત્ર વર્તુળ સાથે રહ્યા હતા. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.

માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી અગ્યારમું, બારમું અને તેરમાની વિધિ કરાઇ

કોરોના સંકટનાં કારણે તથા વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ જુદા-જુદા પરિવારોએ સ્વર્ગસ્થોનાં આત્માનાં મોક્ષાર્થે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી અગ્યારમું,બારમું અને તેરમાની વિધિ કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. સગા-સ્નેહી-પરિવારજનોને જમાડવા અને બધાને એકઠા કરવાને બદલે હાલની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા-જુદા છ પરિવારોનાં બે-બે જણ આશ્રમે પહોંચી જઇ […]

માનવજ્યોતની ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ જરૂરતમંદો સુધી પહોંચી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના સંકટ અનલોક-૨ દરમ્યાન કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર, રામદેવપીરમંદિર લાખોંદ, આઇયાનગર મહિલા મંડળ-માધાપરનાં સહયોગથી ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદોનેભોજન કરાવાય છે. જનતા કફર્યું દિવસથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભૂખ્યાને ભોજનપ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. જેઆજે પણ ચાલુ રહી છે. મંદિરો ટ્રસ્ટો, દાતાશ્રીઓ, સોસાયટીઓ, નગરો, યુવક મંડળો, મહિલામંડળો તથા વિવિધ સંસ્થાઓ અને […]

પ.પૂ. પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીને શ્રદ્ધાંજલિ અપાઇ

સેવામૂર્તિ શ્રી પુરૂષોત્તમપ્રિયદદાસજી સ્વામી બ્રહ્મલીન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેઓશ્રીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. માનવસેવા, જીવદયા, ધાર્મિક અને શિક્ષક ક્ષેત્રે તેઓશ્રીએ કરેલ કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. તેઓશ્રીની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થાને અનેક વખત અનુદાન મળેલ હતું.સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, અરવિંદ ઠક્કરે અંજલિ આપી હતી.

નારી શક્તિ વિકાસ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર સેવાને બિરદાવાઇ

નારી શક્તિ વિકાસ ટ્રસ્ટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરની કોરોના વાયરસ સંકટ સમયે સર્વોત્તમ ભૂમિકા નિભાવી કર્તવ્યરૂઢ થઇ ઘર-પરિવારથી દૂર રહી નિષ્ઠાપૂર્વક સેવા આપવા બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ. નારીશક્તિ વિકાસ ટ્રસ્ટનાં હફીઝાબેન સમા, મીનાબેન બોરીચા અને અનીતાબેન ઠાકુરનાં હસ્તે સન્માનપત્ર અર્પણ કરાયું હતું. અને ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ બિરદાવવામાં આવેલ.

શેરીએ શેરીએ પડાવો સાદ વૃક્ષો હોય ત્યાં હોય વરસાદ… વૃક્ષો વાવો વરસાદ લાવો

કોટીવૃક્ષ અભિયાન બીદડા-કચ્છનાં શ્રી એલ.ડી. શાહનાં માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકામાં મોટા પાયે વૃક્ષારોપણનું કાર્ય થયેલ. સરકારી વહીવટી તંત્ર, સંસ્થાઓ, શાળા-કોલેજાે, વિવિધ મંડળો, દરેક ગામ વાસીઓ,પંચાયતો દ્વારા ઠેર-ઠેર વૃક્ષારોપણ કરાયું. પરિણામે માંડવી સમગ્ર તાલુકામાં શ્રીકાર વરસાદ થતાં સમગ્ર માંડવી તાલુકો લીલોછમ અને હરિયાળું બન્યું છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી છે. તો પશુધન માટે સુખનાં દિવસો […]

માનવજ્યોતની વિવિધ સેવાઓ જરૂરતમંદો સુધી પહોંચી ભુખ્યાને ભોજન પ્રવૃત્તિમાં ૧,૩૭,૧૯૭ લોકોને ભોજન કરાવાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કોરોના સંકટમાં લોકડાઉન અને અનલોકમાં અત્યાર સુધીમાં ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧,૩૭,૧૯૭ શ્રમજીવીકોને ભોજન કરાવવામાં આવ્યું છેજેમાં જુદા- જુદા ગામો, મંદિરો, ટ્રસ્ટો, યુવક મંડળો, મહિલા મંડળો, સોસાયટીઓ, નગરો અને વિવિધ દાતાશ્રીઓનો સાથ અને સહકાર મળી રહ્યો છે. જેનાં કારણે ભૂખ્યાને ભોજન આ પ્રવૃત્તિ જનતા કફર્યુ […]

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનો ૪ વર્ષમાં પ્રવેશ ૩૫૦ માનસિક દિવ્યાંગો ઘર સુધી પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનો ૪ વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. વિતેલા ૩ વર્ષમાં સંસ્થાએ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા એકલા-અટુલા-નિરાધાર ૩૫૦ માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી ઘણાં માનસિક દિવ્યાંગો ૫,૧૦,૧૫,૨૦,૨૫,૩૦,૩૫ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યા છે. અત્યારે ૪૦ માનસિક દિવ્યાંગો આ આશ્રમમાં સારવાર લઇ રહ્યા છે. જેમની ભોજન તથા રહેવા […]