Author Archives: Admin Manavjyot

ઉપયોગી દવાઓ એકઠી કરી માનવજ્યોતને અપાઇ 

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી ભુજ દ્વારા ઉપયોગી દવાઓ એકઠી કરી માનવજ્યોત સંસ્થા ભુજને અપાઈ હતી. સંસ્થા આ દવાઓ ડોકટરશ્રીની ચિઠ્ઠી મુજબ જરૂરતમંદ દર્દીઓને નિ:શુલ્કપહોંચાડશે.  જાયન્ટ્સ સાહેલીનાં પ્રમુખ તરૂણાબેન અમૃતિયા, નીરૂબેન કેશરાણી, અલ્પાબેન પટેલ, યુનિટ ડાયરેકટર મીનાબેન વાઘમશીનાં વરદ હસ્તે ડો. જે.પી. કેશરાણીની ઉપસ્થિતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા કનૈયાલાલ અબોટીને અર્પણ કરાતાં માનવજ્યોત સંસ્થાએ જાયન્ટ્સ ગ્રુપ […]

શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શ્રાદ્ધની અનોખી ઉજવણી 

પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થે શ્રાદ્ધ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મળે પધારતા સ્વર્ગસ્થોનાં પરિવારજનોનાં વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ કાર્ય પૂર્ણ કરાવી માનસિક દિવ્યાંગોને એમનાં પરિવારજનોનાં સ્વહસ્તે ભોજન કરાવાયા છે. શાસ્ત્રોક્તવિધિ વિધાન મારાજશ્રી દિપકભાઈ જોષી કરાવી રહ્યા છે.  માનવજ્યોત સંસ્થાએ આશ્રમમળે સુંદર વ્યવસ્થા ગોઠવી છે. જુદા-જુદા પરિવારો પોતાનાં સ્વજનો નો શ્રાદ્ધ મનાવવા અહીં પહોંચે છે. […]

કોટી વૃક્ષ અભિયાન દ્વારા અપીલ વધુ વૃક્ષો વાવવા સોનેરી અવસર

કોટીવૃક્ષ અભિયાન બીદડા-કચ્છનાં શ્રી એલ.ડી. શાહનાં માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકામાં મોટાપાયે વૃક્ષારોપણનું કાર્ય થયેલ. સરકારી વહીવટી તંત્ર, સંસ્થાઓ, શાળા-કોલેજો, વિવિધ મંડળો, દરેક ગામવાસીઓ, પંચાયતો દ્વારા ઠેર-ઠેર વૃક્ષારોપણ કરાયું. પરિણામે માંડવી સમગ્ર તાલુકામાં શ્રીકાર વરસાદ થતાં સમગ્ર માંડવી તાલુકો લીલોછમ અને હરિયાળું બન્યું છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી છે. તો પશુધન માટે સુખનાં દિવસો આવ્યા […]

શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભોજન કરાવાયું હતું . વીસ શ્રાદ્ધના વીસે દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન , એકલા – અટુલા – નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન , રંક બાળકોને ભોજન , ભૂખ્યાને ભોજન , ગાયોને ઘાસચારો […]

વરસાદમાં જરૂરતમંદ લોકોને કપડા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલા ઝુંપડા-મૂંગાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને વસ્ત્રો વિતરણ કરાયા હતા. ભુજની ચારે દિશાઓમાં આ વિતરણ કાર્યથી ગરીબોએ ખુશી વ્યક્ત કરી હતી. ભુજ અને ભુજ વિસ્તારમાંથી લોકો પુષ્કળ પ્રમાણમાં જૂનાં કપડા માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડે છે. સંસ્થા આ વસ્ત્રો જરૂરતમંદોને હાથો હાથ પહોંચતા કરે છે. લાંબા સમયથી ચાલતી આ […]

શ્રાદ્ધ નિમિતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે 

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવસેવાશ્રમપાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઈ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે.  સંસ્થા દ્વારા […]

વરસાદ વચ્ચે ભૂખ્યા લોકોને ભોજન પહોંચાડાયું 

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ગોયલ ધરમપાલ રાધુ ભલોટ તથા ડાહ્યાલાલ માવજી ધારૂ માનકુવાનાં સહયોગથી વરસાદ વચ્ચે ઝુંપડાઓ અને ભૂંગાઓમાં રહેતા ૪૦૦ જરૂરતમંદ લોકોને લાડુ તથા ખારીભાત સાથેનું ભોજન પીરસાયું હતું. જેમના ઝુંપડાઓમાં વરસાદી પાણી હતું, ભૂંગા ઉપરની તાલપત્રી કે પ્લાસ્ટી કાગળ ફાટી ગયા હતા, વરસાદી પાણી ઘરોમાં આવતું હતું, ચૂલો કે સગડી પ્રગટી શકે […]

વરસાદ થોભે કે તુરત જ પક્ષીઓને ચણ આપો..

છેલ્લા કેટલાકદિવસોથી કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદમાં પક્ષીઓને પણ ખાવા ચણનો દાણો મળે અને રહેવા સુરક્ષિત ઘર મળે એ દિશામાં પણ માનવજ્યોત સંસ્થાએ સુંદર કાર્યક્યું છે.  રૂપકડું માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂક્યું છે. ભુજ અને કચ્છભરમાં ઠેર-ઠેર ચકલીઓ માટે માનવજ્યોત સંસ્થાએ ચકલીઘરો લટકાવ્યા છે. જેનાં સુંદર પરિણામો આવ્યા છે. આ […]

માનવજ્યોત દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ

જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી તથા નાગર જ્ઞાતિનાં પૂર્વ પ્રમુખ શ્રી પરીમલભાઈ ધોળકીયાની વિવિધ સેવાઓને બિરદાવી માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઇ જોષી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, આનંદ રાયસોનીએ અંજલિ આપી હતી

શ્રાવણી અમાસની થઇ અનોખી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શ્રાવણી અમાસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નાનુબેન દેવજી નારાણ પટેલ, સ્વ. નારાણબાપા હસ્તે મીનાબેન પટેલ, આઇયાનગર મહિલા મંડળ-માધાપર, સ્વ. યશ મુકેશ જોશી-માધાપર, નિતેશભાઈ ગઢવી-ભુજ, સ્વ. અ.સૌ. કલાવંતીબેન પંડયા દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન કરાવી શ્રાવણી અમાસ ઉજવી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પંકજ […]