મહારાષ્ટ્રનાં ખામગામ શહેરનો યુવાન જગદીશ બજરંગ પરદેશી ઉ.વ. ૩૪ છેલ્લા ૩ વર્ષથી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેનો કઈ અતોપતો ન મળતાં પરિવારજનો ખૂબ દુઃખી થયા હતા. ઘરે પત્ની તથા એક બાળક તેની રાહ જોઇ થાક્યા હતા. ૭ મહિના પહેલાં તે માનવજ્યોત સંસ્થાને માંડવી શહેરમાંથી મળ્યો હતો. માનવજ્યોત સંસ્થાએ તેને સારી સારવાર આપતાં […]
Author Archives: Admin Manavjyot
ભુજ તાલુકાનાં બળદીયા ગામનાં ર૩વર્ષિય યુવાન શંકર જેન્તીલાલ મકવાણાએ પોતાને સર્વિસ મળતાં પ્રથમ પગાર રૂા.૧૦ હજાર માનવજ્યોત સંસ્થાને સેવાકાર્ય માટે અર્પણ કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની વિવિધ માનવસેવા અને જીવદયાના પ્રવૃત્તિઓથી પ્રેરાઈ પોતાને નોકરી મળતાં જ પ્રથમ પગાર માનવજ્યોતને અર્પણ કર્યો હતો. સંસ્થાનાં શ્રીપ્રબોધ મુનવર તથા […]
ભુજ નજીક આવેલા માધાપર નવાવાસના ઉપસરપંચ શ્રી અરજણભાઈ ભુડિયાએ પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન કરાવી જન્મદિનની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તેમણે માનવજ્યોત સંસ્થા ભુજને જન્મદિન નિમિત્તે રૂા. ૨૧ હજારનું અનુદાન આપ્યું હતું. સંસ્થા સંચાલિત આશ્રમની મુલાકાત લઈ માનસિક દિવ્યાંગોની થઈ […]
વિકસતા માધાપર ગામનાં કેસરબાગ રોડનાં ઓધવ આલાપ સોસાયટી મધ્યે સ્વ.યશ મુકેશભાઈ જોષીની પુણ્ય સ્મૃતિમાં મીનાક્ષીબેન મુકેશભાઈ જોષી પરિવાર દ્વારા નિર્માણ પામેલ પક્ષીઓ માટેનાં ચબૂતરા તથા ગાયો માટેનાં પાણી પીવાનાં અવાડાનું ઉદ્ઘાટન દાતા પરિવાર દ્વારા માનવજ્યોતના પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા દ્વારા કાર્યને બિરદાવવામાં આવેલ. શાસ્ત્રોક્ત વિધિ વિનાયકભાઈ આચાર્યએ કરાવી હતી. સ્વ.યશ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અધિક માસ (પુરૂષોત્તમ માસ) નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાશે. અધિક માસ દરમ્યાન રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોનાં આશ્રય સ્થાન શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોને વિવિધ પરિવારો દ્વારા ભોજન કરાવાશે. માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓને […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની ૧૧મી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેમની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી અંજલિ આપવામાં આવી હતી. અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ માટે અઢી એકર જમીન એમણે માનવજ્યોત સંસ્થા ભુજને અર્પણ કરી હતી. જ્યાં આજે કચ્છમાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જુદા-જુદા પરિવારો શ્રાદ્ધની અનોખી ઉજવણી કરી રહ્યા છે. આશ્રમ સ્થળે દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તિર્થ ગોર અને જાણીતા ગોરમારાજદિપકભાઈ જોષી અહીં શ્રાદ્ધ ઉજવવા આવતા દરેક પરિવારોને શાસ્ત્રોક્તવિધિવિધાન કરાવે છે. સ્વ. રૂક્ષ્મણીબેન જટાશંકર સોની, સ્વ. વનીતાબેન કિશોરચંદ્ર સોની, સ્વ. દિનેશભાઈ નાનજી કતીરા, સ્વ. […]
કોરોના વાયરસનાં કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સરકારી ગાઈડલાઈન્સને અનુસરીને, ખોટા ખર્ચાથી બચી, ખર્ચમાં કરકસર કરી, અનેક પરિવારો આજની કાળઝાળ મોંઘવારીમાં જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા આગળ આવ્યા છે. જન્મદિવસની સાદગીભરી ઉજવણી સાથે બીજાને મદદરૂપ બનવાની અંતરની ભાવનાંઓ પ્રગટ થઇ છે. કેનવી શૈલેષ શાહ, લીનાબેન નરેશભાઈ સતરા, રાજુલ ગીરીશભાઈ છેડા, ધીરેનભાઈ લક્ષ્મીકાંત શાહ, તરંગ વિશાલ લાલકા, પ્રકાશભાઈ […]
કોરોના વાયરસ મહામારી સંકટનાં કારણે અનેક પરિવારોએ બારસ અને શ્રાદ્ધની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિવારનાં સ્વજનનાં મૃત્યુ પછીનાં બારમાં દિવસે બારસ કે અત્યારે ચાલી રહેલા શ્રાદ્ધ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી પુન્યની કમાઈ કરી હતી. ભૂખ્યાને ભોજન પહોંચાડી અત્યારની પરિસ્થિતિમાં જરૂરતમંદોને મદદરૂપ […]
ભુજ શહેરનાં શિવકૃપાનગર વિસ્તારમાં રહેતા ૭૩ વર્ષિય જયેન્દ્રાબેન લક્ષ્મીકાંત પંડયા તથા મણીબેન કરશન પટેલે એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠાટીફીન દ્વારા ભોજન પહોંચાડવા તૈયાર રસોઈ પોતાનાં ઘરે બનાવી આ વૃદ્ધ વડીલોને પહોંચતી કરવા માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં સંસ્થાએ સુંદર સ્વાદિષ્ટ રસોઈ સાથેનું ટીફીન ભરી ભોજન વૃદ્ધ વડીલોને પહોંચાડતા વડીલ વૃદ્ધોએ ખુશી વ્યક્ત કરી હતી. ૭૨ વર્ષિય […]