Author Archives: Admin Manavjyot

ગજોડ-ચુનડી-ટપ્પર ગામોમાં ૫૦૦-કુંડા, ૫૦૦-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અક્ષર નિવાસી રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ વાઘજીયાણી ટપ્પરીયાની પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોનાં સહયોગથી માનવસેવા-જીવદયાનાં અતિ ઉત્તમ કાર્યો કરાયા હતા. ગજોડ,ચુનડી, ટપ્પર ગામોમાં ૫૦૦ કુંડા અને ૫૦૦ ચકલીઘર વિતરણ કરાયા હતા. અક્ષરનિવાસી રાજેશ ઘનશ્યામભાઇટપરીયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે ઘનશ્યામભાઇ માવજી ટપરીયા પરિવાર દ્વારા માનવસેવા જીવદયાનાં કાર્યો સાથે સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. શ્રીજીબાપા-સ્વામિબાપાનાં આશિર્વાદથી […]

વાડી વિસ્તારમાં વૃદ્ધ ત્રણ દિવસ ભૂખ્યો રહ્યો માનવજ્યોત સંસ્થા વ્હારે આવી

પશ્ચિમ બંગાળનાં કુટીર પારા વિસ્તારનાં વૃદ્ધ બિરેન સરદાર ઉ.વ. ૭૦ પોતાની દીકરીનાં ઘરે જવા નાંદીયાથી બર્ધમાન જવા નીકળ્યા હતા. પણ રખડતી-ભટકતી હાલતમાં તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યા અને ત્યાંથી પગે ચાલી નાગોર વાડી વિસ્તાર સુધી પહોંચ્યા. જ્યાં તરસ અને ભૂખનાં કારણે ધીરજ ખૂટી. અને વાડી વિસ્તારમાં બેઠા રહ્યા. અહીં તેની ખૂબ મુશ્કેલી વધી. કોઇ પૂછા […]

પુણ્યતિથિએ માનવસેવા-જીવદયાનાં કાર્યો કરાયા

અક્ષરનિવાસી રાજેશ ઘનશ્યામભાઇટપરીયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે ઘનશ્યામભાઇ માવજી ટપરીયા પરિવાર દ્વારા માનવસેવા જીવદયાનાં કાર્યો સાથે સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. શ્રીજીબાપા-સ્વામિબાપાનાં આશિર્વાદથી ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી સમસ્ત ટપરીયા-વાઘજીયાણી પરિવાર કેરા તથા વાપ્કો કન્સ્ટ્રકશન પરિવાર-મોમ્બાસા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને રૂા. ૬૦ હજારનું અન્નદાન, માનસિક દિવ્યાંગોને ભોજન,વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન, […]

મોટા દિનારા ગ્રુપ શાળા મોવરવાંઢ પ્રાથમિક શાળાનાં બાળકોને કુંડા-ચકલીઘર અર્પણ કરાયા

પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મોટા દિનારા ગ્રુપ શાળાની મોવરવાંઢ પ્રાથમિક શાળાનાં બાલમિત્રોને ચકલીઘર, કુંડા, કાપડની થેલી વિતરણ કરાયા હતા. તેમજ બાળકોને શિક્ષણ સાથે જીવદયાનું કાર્ય કરવા સમજ પૂરી પાડવામાં આવી હતી.

માનવજ્યોત સંસ્થા ભુજને ૧ લાખનું અનુદાન અપાયું

માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન સાથે ભુજ અને કચ્છમાં ૪૯ જેટલી પ્રવૃત્તિઓ કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પૂ. સ્વામી જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે બાપાશ્રીનાં મંદિર માધાપર મધ્યે રૂા. ૧ લાખનો ચેક અર્પણ કરાયો હતો. પૂજ્યશ્રીએ ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાને આશિર્વાદ પાઠવ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર […]

માનવજ્યોત સંસ્થાને ૪૫ હજારનું અનુદાન અપાયું

ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત શ્રી નરનારાયણ દેવ ૨૦૦ વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ભુજ અને કચ્છભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને અન્નદાન માટે રૂપિયા પિસ્તાલીસ હજારનો ચેક સ્વામી કૃષ્ણવિહારીદાસજી તથા સ્વામી ભક્તિચરણદાસજીનાં વરદ્ હસ્તે અર્પણ કરાયો હતો. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.

સ્વ. શ્રી તારાચંદભાઇ છેડાની પ્રથમ પુણ્યતિથિ ઉજવાઇ

માનવસેવા અને જીવદયાનાં ભેખધારી, પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય, સર્વ સેવા સંઘ અને કવિઓ મહાજનશ્રી ભુજના પૂર્વ અધ્યક્ષ, માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક સ્વ. તારાચંદભાઇ જગશી છેડાની પ્રથમ પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને પરિવારજનો તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. માતુશ્રી લક્ષ્મીબેન જગશી છેડા પરિવાર દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા […]

બિહારની ગુપ્ત પાંચ સંતાનોની માતા ભુજમાંથી મળી ૧ વર્ષથી ગુમ મહિલાનું ચાર દિવસમાં પતિ સાથે થયું મિલન

બિહારનાં બારોની વિસ્તારની પાંચ સંતાનોની માતા છેલ્લા ૧ વર્ષથી ગુમ હતી. પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પત્નીએ અચાનક ઘર છોડ્યું હતું. અને તે જુદા-જુદા રાજયોમાં રખડતી-ભટકતી રહી હતી. ૧ વર્ષ પછી તે ટ્રેન મારફતે અચાનક ભુજ આવી પહોંચી હતી. ભુજ શહેરનાં વિજયનગર વિસ્તારમાં રાત્રે ૧૦ વાગે પોલીસ સી ટીમનાં શીલતબેન નાઇ, ગાયત્રીબેન બારોટ, રમીલાબેન શાહ, […]

કોઠારા સાર્વજનિક દવાખાનનાં પ્રમુખ વરાયા

શ્રી કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ કોઠારાનાં પ્રમુખ તરીકે મણીલાલભાઇ રાયચંદ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેઓશ્રી માદરે વતન કોઠારા પધારતાં કોઠારા જી.ટી. હાઇસ્કુલ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં ગામવાસીઓ દ્વારા તેમને મીઠડો આવકાર અપાયો હતો. પ્રભાતસિંહ જાડેજા, પરેશ ઠક્કર, ભરતસિંહ જાડેજા, દીનેશ અજાણી, રાયચંદ લોડાયા, ધનપતિ લોડાયા, સુલેમાન ખત્રી, ખીરણ લોડાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન […]

ગ્રેજ્યુએટ યુવાને માનસિક સમતુલા ખોઇ બેસતાં ઘર છોડ્યું

મધ્યપ્રદેશનાં ગ્વાલિયર જીલ્લાનાં બ્રજ ભૂષણ શર્મા ઉ.વ. ૩૭ ને ડોકટર બનવાનું સપનું હતું. પરિવારજનોએ તેને એન્જિનિયર બનાવવા મોકલ્યો. ન્યુઝલેન્ડમાં રહી ડોકટરનો અભ્યાસ પૂર્ણ કરી ડોકટર બનવાની ખૂબ જ ઇચ્છા હતી. પણ તે સાકાર નથતાં આ યુવાને માનસિક સમતુલા ખોઇ બેસતાં તેણે અચાનક ઘર છોડ્યું હતું. અને જુદા જુદા રાજ્યોનાં શહેરોમાં તે રખડતો ભટક્તો રહ્યો હતો. […]