Author Archives: Admin Manavjyot

વધી પડેલું 350 કિલો ઉધિયું ગરીબોનાં ઝુંપડે પહોંચ્યું

મકરસક્રાંતિ દિને ઉધિયું વધી પડ્યાનાં માનવજ્યોત સંસ્થા ભુજને 14 ફોન આવ્યા હતા.સંસ્થાએ વાહન દ્વારા 350 કિલો ઉધિયું એકઠું કરી જરુરતમંદોના ઝુંપડે જઇ વિતરણ કરતાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા ગરીબોએ ઉધિયાનો સ્વાદ માણી મકરસક્રાંતિ પર્વની ઉજવણીમાં જોડાયા હતા. વિતરણ વ્યવસ્થઆ પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા,રફીક બાવા, ઇરફાન લાખા, હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી.

માનવજ્યોત દ્વારા માનવસેવા-જીવદયા કાર્યો સાથે મકરસક્રાંતિ પર્વ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવસેવા અને જીવદયાનાં કાર્યો સાથે મકરસક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પક્ષીઓને ચણ, ગાયોને ઘાસચારો, શ્ર્વાનોને રોટલા, જેવા જીવદયાનાં કાર્યો કરાયા હતા. કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, શ્રી રામદેવપીર મંદિર હિલગાર્ડન રોડ, લક્ષ્મી મહિલા મંડળ-મીરઝાપર દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને રામબાઇ જાદવા વરસાણી-લંડન,પરબતભાઇ નારાણભાઇ માધાપરીયા યુ.કે. દ્વારા […]

કાતિલ ઠંડી વચ્ચે દિવસે અને રાત્રે જરુરતમંદોને ગરમ ધાબડા ઓઢાળાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કાતિલ ઠંડી વચ્ચે દિવસે અને રાત્રે ખુલ્લામાં બેઠેલા અને સૂતેલા જરુરતમંદ લોકોને ગરમ ધાબડા ઓઢાળાયા હતા. અક્ષરનિવાસી રાધાબાઇ રામજી લાધાણી, અક્ષરનિવાસી રામજી ઝીણાભાઇ લાધાણી હસ્તે લાધાણી પરિવાર-ઓસ્ટ્રેલીયા-કેરા દ્વારા તથા સંજયભાઇ જાટીયા, મયુરભાઇ જાટીયા મમુઆરા દ્વારા ધાબડા માનવજ્યોત સંસ્થાને મળેલ જે જરુરતમંદો સુધી પહોંચાડવામાં આવેલ. વ્યવસ્થા પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, […]

માનવજ્યોત દ્વારા જરુરતમંદ મહિલાઓનેત્રણ-ત્રણ સાડીઓ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં જરુરતમંદ મહિલાઓને ત્રણ- ત્રણ સાડીઓ અર્પણ કરાતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ મુનવર, સલીમ લોટા, વિક્રમ રાઠી અને ધર્મેન્દ્રભાઇએ સંભાળી હતી.

કાતીલ ઠંડી વચ્ચે ઠંડીમાં ઠુંઠવાતા ૯ માનસિક દિવ્યાંગભાઇ-બહેનોને માર્ગોમાંથી ઉઠાવાયા

છેલ્લા અઠવાડીયાથી ઠંડીનું સખત મોજુ ફરી વળ્યું છે. માર્ગોમાં પડ્યા પાથર્યા અને એકલા અટુલા રોડ ઉપર ફરી રહેલા તથા અચાનક ભુજ આવી ચડેલા ૯ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજની માનવજ્યોત સંસ્થાએ ઠંડી સામે રક્ષણ આપી આશ્રય સ્થાન આપ્યું છે. દદામાપર-જખૌ માર્ગે મળી આવેલા અજાણી માનસિક દિવ્યાંગ મહિલાને એસ.ઓ.જી., એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજાએ ભુજની માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડી […]

3 અનાથ દીકરીઓને પગભર થવાસિવણમશીનો અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી તથા શ્રી ક.વી.ઓ. જૈન મહાજનશ્રી ભુજનાં માર્ગદર્શન હેઠળ દાતાશ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર- વર્ધમાનનગર હસ્તે રમાબેન શિરિષભાઇ મહેતા – અમેરીકાનાં સહયોગથી 3 અનાથ દીકરીઓને સિલાઇ મશીન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે કાર્યક્રમનું અતિથિવિશેષ પદ શ્રી રણજીતસિંહ પી. જાડેજા (ટીલાટ) ચીરઇ હાલે અંજાર તથા પૃથ્વીરાજસિંહ એસ. જાડેજા […]

બિહારનો યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેરમિલન

બિહારનાં સીતામણી વિસ્તારનો યુવાન અબાસ અન્સારી ઉ.વ. ૩૭ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી. પરિવાર ચિંતાતુર બન્યો. અનેક રાજ્યોમાંથી થઇ આખરે તે ગુજરાતનાં સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટને મળી આવ્યો. ત્યાંનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને કાર્યકરોએ તેની ખૂબ જ સારી સેવા કરી.માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માતેને ભુજ લઇ આવ્યા. બિહાર પોલીસનો સંપર્ક […]

સેવાશ્રમ સ્થળે સર્વોદય મંડળનાં બહેનોએરાસ-ગરબાની રમઝટ જમાવી

ભુજ-માધાપર સર્વોદય મહિલા મંડળનાં 40 બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ભજન-કિર્તન-સત્સંગની રમઝટ જમાવી હતી. મંડળનાં બહેનો રાસ-ગરબા-દુહા-છંદ સાથે નાચી ઝુમી ઉઠયા હતા. મંડળના પ્રમુખ ઉષાબેન મચ્છર તથા સર્વે સભ્યોએ ભારે રમઝટ જમાવી હતી. સર્વોદય મહિલા મંડળના બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને સ્વહસ્તે ભોજન કરાવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે મંડળનાં બહેનોને સંસ્થાની […]

માનવજ્યોત સંસ્થા દ્વારા જરુરતમંદોને વસ્ત્રો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અઠવાડીયે બે વખત વિવિધ વિસ્તારોમાં જઇ જરુરતમંદ લોકોને વસ્ત્રો વિતરણ કરવામાં આવે છે. ભુજ અને અન્ય વિસ્તારોનાં લોકો વધારાનાં કપડા માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડે છે જેને વ્યવસ્થિત કરી કોથરામાં ભરી ગરીબોનાં ભૂંગા,ઝુંપડા, કાચા મકાનો સુધી વાહન દ્વારા પહોંચતા કરવામાં આવતાં જરુરતમંદ લોકો કપડા પહેરી ખુશી વ્યક્ત કરે છે. ભુજ અને ભુજ […]

જમ્મુ-કાશ્મીરનો ગુમ યુવાન ફરી ઘર સુધી પહોંચ્યો

જમ્મુ-કાશ્મીરનાં હાપુલ વિસ્તારનો યુવાન મોન્ટુ ઉ.વ 30 ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવ મંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુધી પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો શ્રી જયરામભાઇ ભગત અને સર્વે કાર્યકરોની ટીમે તેની ખૂબ જ સારી સરભરા કરી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ યુવાનને સૂરતથી ભુજ લઇ આવી […]