ભુજ તાલુકાનાં બળદીયા ગામનાં ર૩વર્ષિય યુવાન શંકર જેન્તીલાલ મકવાણાએ પોતાને સર્વિસ મળતાં પ્રથમ પગાર રૂા.૧૦ હજાર માનવજ્યોત સંસ્થાને સેવાકાર્ય માટે અર્પણ કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની વિવિધ માનવસેવા અને જીવદયાના પ્રવૃત્તિઓથી પ્રેરાઈ પોતાને નોકરી મળતાં જ પ્રથમ પગાર માનવજ્યોતને અર્પણ કર્યો હતો. સંસ્થાનાં શ્રીપ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ યુવાનની પ્રેરણાને બિરદાવી અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.