ભુજ શહેરનાં શિવકૃપાનગર વિસ્તારમાં રહેતા ૭૩ વર્ષિય જયેન્દ્રાબેન લક્ષ્મીકાંત પંડયા તથા મણીબેન કરશન પટેલે એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠાટીફીન દ્વારા ભોજન પહોંચાડવા તૈયાર રસોઈ પોતાનાં ઘરે બનાવી આ વૃદ્ધ વડીલોને પહોંચતી કરવા માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં સંસ્થાએ સુંદર સ્વાદિષ્ટ રસોઈ સાથેનું ટીફીન ભરી ભોજન વૃદ્ધ વડીલોને પહોંચાડતા વડીલ વૃદ્ધોએ ખુશી વ્યક્ત કરી હતી. ૭૨ વર્ષિય વૃદ્ધ જયેન્દ્રાબેન અને મણીબેને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, પરેશ માહેશ્વરી, દિપેશ શાહ, આનંદ રાયસોનીએ સહકાર આપ્યો હતો.