બિહારનાં સીતામણી વિસ્તારનો યુવાન અબાસ અન્સારી ઉ.વ. ૩૭ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી. પરિવાર ચિંતાતુર બન્યો.
અનેક રાજ્યોમાંથી થઇ આખરે તે ગુજરાતનાં સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટને મળી આવ્યો. ત્યાંનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને કાર્યકરોએ તેની ખૂબ જ સારી સેવા કરી.માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માતેને ભુજ લઇ આવ્યા. બિહાર પોલીસનો સંપર્ક કરી તેનું ઘર પરિવાર શોધી કઢાયા.
તેનો પુત્ર તથા તેનાં બનેવી ભુજ આવી પહોંચ્યા. ત્રણ-ત્રણ વર્ષ પછી પિતા-પુત્ર અને સાળા- બનેવીનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.આખરે તે ૪૦ વર્ષનો થઇ પોતાનાં ઘર અને પરિવાર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઇ છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, દીપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, સહભાગી બન્યા હતા. પંડીત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગરના માનવજ્યોતમાં તાલીમ મેળવવા આવેલ વિદ્યાર્થીનીઓએ કાઉન્સલીગમાં ભાગ લીધો હતો.