કચ્છના પૂર્વ આઇ.જી. શ્રી એ.કે. જાડેજા સાહેબનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.
જયારે તેઓશ્રી ભુજમાં આઇ.જી. તરીકે હતા ત્યારે માનવજ્યોત સંસ્થાની માનવસેવા,જીવદયા પ્રવૃત્તિઓમાં ઉંડો રસ લીધો હતો. પોતાના નિવાસ સ્થાને ચકલીઘરો-કુંડાઓ લટકાવી લોકોને જીવદયાનું કાર્ય કરવા પ્રેરણા આપી હતી.
સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવાએ તેઓને અંજલિ આપી હતી.