માનવજ્યોતને પ૧ હજારનું અનુદાન અપાયું

માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ લક્ષી પ્રવૃત્તિઓ કરનાર ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી અંજનાબેન કિશોરભાઈ શાહ વર્ધમાનનગર હસ્તે શ્રુતિલ-મંથન-પૂન્યા દ્વારા પ૧ હજારનું અનુદાન અપાયું હતું. શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોની સેવા તથા સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી ખુશ થઈ દાતાશ્રીએ સંસ્થાને ચેક અર્પણ કર્યો હતો. સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા દિલીપ સાયલાએ આભાર માન્યો હતો.