રાજ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે માનવજ્યોતને ૫૦ હજારનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી કચ્છમાં માનવસેવા, જીવદયા, વ્યસનમુક્તિ અને પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

કોરોના મહામારી સંકટમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભૂખ્યાને ભોજન સહિત સવા વર્ષમાં ૪૯ જેટલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જરૂરતમંદ લોકોની વચ્ચે રહી લોકોને મદદરૂપ બની રહી છે.

ક્રિષ્ના રોડલાઇન્સ ગ્રુપ હસ્તે ડો. નવઘણ વાસણભાઇ આહિર દ્વારા રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરનાં વરદ્ હસ્તે માનવજ્યોત સંસ્થા ભુજને રૂા. ૫૦ હજારનું અનુદાન અપાયું હતું. આ પ્રસંગે શ્રી દિલીપભાઇ ત્રિવેદી, હર્ષદભાઇ ઠક્કર (હકી), ભરતભાઇ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવાએ દાતાશ્રી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.