કોરોના સંક્રમણ તેજ બન્યું છે, ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા જરૂરતમંદ લોકોને જરૂરી વસ્તુઓ પહોંચતી કરી મદદરૂપ થવાય છે. દાતાશ્રીઓ દ્વારા મળેલ સામગ્રી જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહેલ છે. સ્વસ્તીક એજન્સી ભુજ હરસુખભાઇ વોરાનાં સહકારથી મળેલ બે હજાર એપલ જ્યુસ પેકેટો શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિતરિત કરાયા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, મુરજીભાઇ ઠક્કર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહે સંભાળી હતી.