ઉત્તરપ્રદેશ ગોસાઈમલ જિલ્લાનો ૧૩ વર્ષિય બાળક આર્યન સંદિપ ટ્રેન મારફતે અચાનક ભુજ રેલ્વે સ્ટેશને ઉતરતાં જ રેલ્વે સુરક્ષા દળનાં હાથમાં આવ્યો હતો. તે પ્રથમ વખત ઘર છોડી ટ્રેન મારફતે ભુજ સુધી પહોંચ્યો હતો.
માનવજ્યોત સંસ્થાને જાણકારી મળતાં જ સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીકબાવાએ બાળકનો રેલ્વે સુરક્ષા દળ પાસેથી કબ્જો લઈ, બાળકનું કોરોના ટેસ્ટ કરાવી બાળકને ચિલ્ડ્રન હોમ ભુજ મધ્યે પહોંચાડયો હતો. બાળક પાસેથી મળેલ માહિતીના આધારે તેના હિમાચલ પ્રદેશમાં કામ કરતા પિતાનો સંપર્ક કરી બાળક હેમખેમ ભુજ રેલ્વે સ્ટેશને ઉતર્યું હોવાનું અને સલામત હોવાનું માનવજ્યોતે પરિવારજનોને જાણકારી આપી હતી. માનવતાનાં આ કાર્યમાં ભુજ રેલ્વે સુરક્ષાદળ તથા માનવજ્યોતની ટીમે સહકાર આપ્યો હતો.
રાષ્ટ્ર અને રાજ્ય લેવલે માનવજ્યોત સંસ્થા ભુજને અત્યાર સુધીમાં ગુમ થયેલા ૧૯૮ બાળકો મળી આવ્યા હતા. દરેકને તેમનું પરિવાર શોધી આપી પરિવારજનો સાથે ફેમિલન કરાવાયું હતું.