શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શ્રાદ્ધની અનોખી ઉજવણી 

પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થે શ્રાદ્ધ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મળે પધારતા સ્વર્ગસ્થોનાં પરિવારજનોનાં વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ કાર્ય પૂર્ણ કરાવી માનસિક દિવ્યાંગોને એમનાં રિવારજનોનાં સ્વહસ્તે ભોજન કરાવાયા છે. શાસ્ત્રોક્તવિધિ વિધાન મારાજશ્રી દિપકભાઈ જોષી કરાવી રહ્યા છે. 

માનવજ્યોત સંસ્થાએ આશ્રમમળે સુંદર વ્યવસ્થા ગોઠવી છે. જુદા-જુદા પરિવારો પોતાનાં સ્વજનો નો શ્રાદ્ધ મનાવવા અહીં પહોંચે છે. વ્યવસ્થામાં માનવજ્યોતનાં સર્વે કાર્યકરો સહકાર આપી રહ્યા છે.